શા માટે કોંગ્રેસીઓના થઇ રહ્યા છે કેસરિયા? ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યો પહેલીવાર ખુલાસો!

શા માટે કોંગ્રેસીઓના થઇ રહ્યા છે કેસરિયા? ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યો પહેલીવાર ખુલાસો! જાણો શું કહ્યું?

03/29/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

શા માટે કોંગ્રેસીઓના થઇ રહ્યા છે કેસરિયા? ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષે કર્યો પહેલીવાર ખુલાસો!

એક તરફ ગુજરાતમાં કોંગ્રેસમાં ફફટાટ વ્યાપ્યો હોય તેમ નેતાઓ એક પછી એક રાજીનામાં આપી રહ્યાં છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રીજી વખત સત્તામાં આવતા રોકવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમના નેતાઓને 'ડરશો નહીં લડો' નો સંદેશ આપી રહ્યા છે. પરંતુ દેશના અન્ય ભાગોની જેમ ભાજપના સૌથી મજબૂત ગઢમાં કોંગ્રેસના કોઈ દિગ્ગજો ચુંટણી લડવા રાજી નથી.


ભાજપની શક્તિમાં ઉમેરો થયો

ભાજપની શક્તિમાં ઉમેરો થયો

ત્યારે બીજી તરફ ભાજપે કોંગ્રેસના નેતાઓનો ભરતી મેળો યોજી પોતાના જ નેતાઓને નારાજ કરી દીધા છે. તે અંગે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મેં પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કોંગ્રેસીઓ માટે પાર્ટીએ દ્વાર બંધ રાખ્યા હતા, ચારેક વર્ષ આમ ચાલ્યું પણ પછી પાર્ટીએ નિર્ણય લીધો. તેથી કોંગ્રેસની નાની મોટી તાકાત તોડવા માટે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પ્રવેશ અપાયો છે. એટલે ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસના લગભગ 60 હજાર જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં 300 નાના મોટા હોદ્દેદારો, નેતાઓ પણ સામેલ છે અને આનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે. ત્યારે કોંગ્રેસને બૂથ માટે પણ કાર્યકર ન મળે તેવી સ્થિતિ થઈ છે. પરંતુ, આનાથી ભાજપની વિચારધારા, શિસ્ત, પક્ષના કાર્યકરોની નારાજગીના પ્રશ્નો સર્જાયા તે મુદ્દે તેમણે કહ્યું હતું કે, અમે કોંગ્રેસના નેતાઓના પ્રવેશથી પક્ષના સિનિયરોની અવગણના કરીશું નહીં અને દરેક પાસે શિસ્તની અપેક્ષા રખાશે. ભાજપ દેશમાં વિપક્ષને તોડી રહ્યુ છે જેનાથી લોકશાહી પર ખતરો ઉભો થાય તો તે અંગે તેમણે કહ્યું હતું કે, વિપક્ષના નેતાઓને ટકાવવા અને મજબૂત કરવા તે વિપક્ષોનું કામ છે અમારું નહીં.


કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા નથી તૈયાર

કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા નથી તૈયાર

મળતા અહેવાલો અનુસાર કોંગ્રેસ પાર્ટીને લોકસભા ચુંટણી માટે કેટલીક સીટો પર ઉમેદવારો નથી મળી રહ્યા. આણંદ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે? તેનો નિર્ણય હજુ લેવાયો નથી. એક તરફ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રહી ચુકેલા નેતાઓ ચુંટણી લડવાથી પીછેહઠ કરી રહ્યા છે. તો બીજી તરફ ગેનીબેન અને અનંત પટેલ જેવા નેતાઓ મોટી લડાઈ લડવા મેદાને પડ્યા છે. કોંગ્રેસ પર ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઓછામાં ઓછી એક કે બે બેઠકો જીતવાનું દબાણ છે. પરંતુ કોંગ્રેસના અગ્રણી નેતાઓ ચૂંટણી લડવા નથી માંગતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top