શું BJPમાં સામેલ થશે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત? જાણો શું બોલ્યા
ઉત્તરાખંડમાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની એક તસવીર સામે આવી હતી. એ તસવીરમાં તેઓ વડાપ્રધાન મોદીને ગુલદસ્તો આપતા નજરે પડી રહ્યા છે, ત્યારબાદ અટકળો હતી કે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે, પરંતુ હવે તેમણે આ સમાચારોનું ખંડન કર્યું છે.
હરીશ રાવતે ફેસબુક પોસ્ટ કરીને લખ્યું કે, જુઠ્ઠાણાં અને ષડયંત્રની પરાકાષ્ઠા, ભાજપના ઓજારે પહેલા અમારી સરકાર પાડવાનું ષડયંત્ર રચ્યું અને હવે મને બદનામ કરીને ભાજપને લાભ પહોંચાડવા માટે મુખ્યમંત્રીના રૂપમાં મોદીજીને આપેલા ગુલદસ્તાની તસવીર વાયરલ કરીને ભ્રમ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે. આ તસવીર 2016ની છે જ્યારે આદરણીય વડાપ્રધાનજી ઉત્તરાખંડ આવ્યા હતા. એ સમયે હું રાજ્યનો મુખ્યમંત્રી હતો અને મેં હેલીપેડ પર ગુલદસ્તો ભેંટ આપ્યો હતો. કેવી વિડંબના છે હવે સ્ટિંગબાજ પણ સાંસદ બનવાનું સપનું જોવા લાગ્યા છે. ધન્ય છે ભાજપ, તારા પતન પર તે મદદગાર પણ પોતાના જેવો જ શોધ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp