9ના મોત

નવસારી નજીક બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ખાનગી કંપનીના 9 કર્મચારીઓના મોત

12/31/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

9ના મોત

નવસારી નજીક હાઇવે પર બસ-કાર વચ્ચે અકસ્માત, ખાનગી કંપનીના નવ કર્મચારીઓના મોત નવસારીમાં એક ભયાનક રોડ અકસ્માત સર્જાતા વર્ષના છેલ્લા દિવસે ગમગીની છવાઈ છે. નવસારી નજીક હાઈ વે પર શનિવારે સવારે બસ અને એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત અમદાવાદ-મુંબઈ હાઈવે પર થયો હતો. ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સુરત રીફર કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, નવસારી નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો ભોગ બનેલી બસ પ્રમુખસ્વામીનગરથી આવી રહી હતી. જાણવા મળ્યા મુજબ સવારે વલસાડ તરફથી આવી રહેલી ટોયોટા ફોર્ચ્યુનરના ચાલકને અચાનક હાર્ટ એટેક આવતા તેણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. આ પછી SUV ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી.

આ ઘટનામાં કારમાં સવાર તમામ 8 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે બસમાં સવાર એક વ્યક્તિનું મોત પણ સામે આવ્યું છે. બસમાં સવાર લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતની આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું, નવસારીમાં થયેલો અકસ્માત આઘાતજનક છે. અકસ્માતમાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે. અમે તેઓના ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top