મોરબી દુર્ઘટના : એક તરફ જ્યાં હલકી કક્ષાનું રાજકારણ રમાવા માંડ્યું છે, ત્યારે મોરબીના રાજપરિવારે શું કર્યું, જાણો. જુઓ વિડીયો
મોરબી દુર્ઘટના : એક બાજુ જ્યાં મોરબીની દુર્ઘટનાને લઈને તમામ રાજકીય પક્ષો અને એમના ટેકેદારો તરફથી સોશિયલ મીડિયા ઉપર હલકી કક્ષાનું રાજકારણ ખેલાવાની શરૂઆત થઇ ગઈ છે, ત્યારે બીજી તરફ મોરબીનો રાજ પરિવાર મૃતકોના પરિવારોના દુઃખમાં સહભાગી થવા આગળ આવ્યો છે. મોરબી દુર્ઘટનાની જાણ થતાં જ રાજકુંવરીબા સાહેબ મીરાબાપા તાત્કાલિક મોરબી આવી પહોંચ્યા છે, અને રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજવી પરિવાર વતી પ્રત્યેક હતભાગી પરિવારને એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું છે. સાથે જ રાજવી પરિવારે આ દુર્ઘટના સમયે ખાડે પગે લોકોની મદદમાં રહેનાર સ્થાનિક લોકો, સેવાભાવી સંસ્થાઓ અને તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જુઓ વિડીયો
રાજકુંવરીબા સાહેબે શું કહ્યું? જુઓ વિડીયો
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp