ભાજપના દિગ્ગજ મહિલા નેતા પોતાના નિવેદન પર ઘેરાયા..'વીડીઓ વાયરલ થતા કહ્યું 'વિપક્ષ ગંદુ રાજકારણ

ભાજપના દિગ્ગજ મહિલા નેતા પોતાના નિવેદન પર ઘેરાયા..'વીડીઓ વાયરલ થતા કહ્યું 'વિપક્ષ ગંદુ રાજકારણ કરવાનું બંધ કરે!જાણો સમગ્ર મામલો?

04/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપના દિગ્ગજ મહિલા નેતા પોતાના નિવેદન પર ઘેરાયા..'વીડીઓ વાયરલ થતા કહ્યું 'વિપક્ષ ગંદુ રાજકારણ

Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા તેમના એક નિવેદન અંગે મુશ્કેલીમાં મૂકાયા છે.જાણો એવું તો શું કહ્યું? 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હતી. જોકે હવે નવનીત રાણાનું આ નિવેદન વાયરલ થઇ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે નવનીત રાણાએ ગત લોકસભા ચૂંટણી એનસીપીના સમર્થનથી જીતી હતી. ત્યારે એનસીપીના ભાગલા નહોતા પડ્યા. આ દરમિયાન ઉદ્ધવની શિવસેના યુબીટીએ કહ્યું કે નવનીત રાણા સાચુ બોલી રહ્યા છે. આવી જ પ્રતિક્રિયા એનસીપી શરદ ચંદ્ર પવારના પ્રવક્તા મહેશ તપસેએ આપી હતી. તેમણે કહ્યું કે ભાજપને ખબર પડી ગઈ છે કે હવે મોદી લહેર નથી. 


શું છે તેમના વીડિયોમાં જાણો

શું છે તેમના વીડિયોમાં જાણો

નવનીત રાણાએ જે નિવેદન આપ્યું તેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તે વીડિયોમાં કહેતા સંભળાય છે કે આપણે આ ચૂંટણી એવી રીતે લડવી પડશે જેમ આ કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય. આપણે 12 વાગ્યા સુધીમાં તમામ મતદારોને બૂથ સુધી લાવવા પડશે અને તેમને મતદાન કરવા કહેવું પડશે. ભ્રમમાં ન રહેશો કે મોદી લહેર છે. 2019માં મોદી લહેર હતી. તેમની પાસે સંસાધન હતા પણ તેમ છતાં હું એક અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી. 



વીડિયો વાયરલ થતાં સ્પષ્ટતા કરી

વીડિયો વાયરલ થતાં સ્પષ્ટતા કરી

નવનીત રાણાએ વીડિયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરતાં કહ્યું કે વિપક્ષે મારા વીડિયો સાથે ચેડાં કરી તેને વાયરલ કર્યો છે. મોદીના નામે જ લોકો પાસે સમર્થન માગવામાં આવી રહ્યું છે. દેશના વિકાસ માટે મોદી જરૂરી છે. હું મોદીના નામે અને દેશની ભલાઈ માટે જ લોકો પાસે વોટ માગી રહી છું. વિપક્ષ ગંદુ રાજકારણ કરવાનું બંધ કરે. 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top