Breaking News : શું ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે આપશે રાજીનામું? અથવા રમી શકે છે નવો દાવપેંચ
નેશનલ ડેસ્ક : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આજે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. હકીકતમાં, સીએમ હેમંત સોરેને ગુરુવારે સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે. આવી સ્થિતિમાં ઓફિસ ઓફ પ્રોફિટ કેસને જોતા હેમંત સોરેનનો નવો રાજકીય દાવ સામે આવી શકે છે. તેઓ રાજ્યપાલને મળીને ફરી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ઝારખંડમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ હેમંત સોરેને ગુરુવારે પ્રોજેક્ટ ભવન સચિવાલયમાં રાજ્ય કેબિનેટની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સીએમ હેમંત સોરેન મોટો નિર્ણય લઈ શકે છે. સાથે જ આ બેઠક માટે વહીવટી રીતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
એવું માનવામાં આવે છે કે સરકાર આ કેબિનેટ દ્વારા તેના ઘણા ચૂંટણી વચનોને અંતિમ સ્વરૂપ આપશે. એવી પણ શક્યતા છે કે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી હેમંત સોરેનથી લઈને મંત્રીઓ સાથે રાયપુર જઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર વિશેષ સત્ર દ્વારા વિશ્વાસ મત રજૂ કરી શકે છે. ગુરુવારે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp