બબીતા અને ટપુ વચ્ચેના રિલેશન્સની અફવાથી ભડકી ઉઠ્યા આ કલાકારો! કહ્યું, "શરમ કરો!"

બબીતા અને ટપુ વચ્ચેના રિલેશન્સની અફવાથી ભડકી ઉઠ્યા આ કલાકારો! કહ્યું, "શરમ કરો!"

09/15/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

બબીતા અને ટપુ વચ્ચેના રિલેશન્સની અફવાથી ભડકી ઉઠ્યા આ કલાકારો! કહ્યું,

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શો વર્ષોથી જાણીતો છે. હાલમાં થોડા દિવસ પહેલા આ ટીવી સિરીયલના બે કલાકાર વિશે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી હતી. આ ચર્ચા ટપુ અને બબીતા વિશે હતી. રાજ અનડકટ ઉર્ફ ટપુ(tapu) અને મુનમુન દત્તા ઉર્ફ બબીતાજી વચ્ચે રિલેશનશિપ(relationship) છે તેવી વાત સોશિયલ મીડિયામાં ખબર પડી હતી. પરંતુ મુનમુન દત્તાએ રાજ અનડકટ સાથે રિલેશનશિપની ખબરોને અફવા(fake news) સાબિત કરતા સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો, અને રાજ અનડકટે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ ખબર માટે ગુસ્સો ઠાલવ્યો છે. 


બબીતાજીએ કહ્યું તેને ભારત દેશની બેટી કહેતા શરમ આવે છે!

બબીતાજીએ કહ્યું તેને ભારત દેશની બેટી કહેતા શરમ આવે છે!

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' શોની બબીતાજી(babita) એટલે કે મુનમુન દત્તાએ જણાવ્યું કે, તે ભારત દેશની બેટી હોવા ઉપર શરમ અનુભવી રહી છે. તેને કહ્યું કે, "તમે હેડલાઇન્સ બનાવવા બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકો છો. કોઈના વિશે લોકો શું વિચારશે તેની તમને કોઈ જાતની ચિંતા પડી નથી. શું તમે તેમના જીવનમાં વિનાશ સર્જવાની જવાબદારી લેવા જઈ રહ્યા છો? જો નહિ લેતા હોવ તો તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ." મીડિયા અને સામાન્ય જનતાને ઈન્સ્ટાગ્રામ પર મુનમુને બે ભાગમાં વેહેંચતા કહ્યું કે, તે 'કાલ્પનિક' વાર્તાઓ બનાવવા અને માનવા માટે હવે લોકોમાં ગભરાઈ ગઈ છે. આ ઉપરાંત દત્તાએ દિવંગત ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા વિશે વાત કરી હતી, જેનું 2 સપ્ટેમ્બરે 40 વર્ષની વયે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યા બાદ નિધન થયું હતું. ટી.આર.પી (ટાર્ગેટ રેટિંગ પોઈન્ટ) માટે અંતિમવિધિ જેવા કપરા સમયમાં પણ બે શોકગ્રસ્ત મહિલાઓના ચહેરા પર કેમેરા રાખી શુટીંગ ચાલી રહ્યું હતું - જેમણે પોતાનો પ્રેમ અને પુત્ર ગુમાવ્યો હતો.


ટપુએ ઈન્સ્ટાગ્રામ પર ઠાલવ્યો ગુસ્સો :

ટપુએ ઈન્સ્ટાગ્રામ પર ઠાલવ્યો ગુસ્સો :

રાજ  અનડકટે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ(instagram) પેજ પર ગુસ્સો બતાવ્યો હતો. રાજે લખ્યું છે કે, જે લોકો મારા વિશે કંઈ પણ લખી રહ્યા છે, તેવા લોકોને જરાક વિચારવું જોઈએ કે, તેની અને બબીતા વચ્ચે ચાલી રહેલ રિલેશનશિપની આવી ખરાબ અફવા ફેલાવાથી તેના જીવન પર ઘણી અસર પડે છે.  આવી અફવા બાદ લોકો તેના વિશે શું વિચારશે? તેના નામ પર મજાક ઉડાવશે. મારુ મંતવ્ય લીધા વગર મારા વિશે કંઈ પણ લખી રહ્યા છે. જે પણ કલાકાર લોકો મારા વિશે આવું લખી રહ્યા છે. તેઓ પોતાની કલાકારી અહીં નહીં ક્યાંક બીજે બતાવવી જોઈએ. ભગવાન આવા લોકોને થોડી સમજ આપે તેવી પ્રાથના કરું છુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top