કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ગુજરાતનું બજેટ

કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ગુજરાતનું બજેટ

02/20/2025 Business

SidhiKhabar

SidhiKhabar

કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું ગુજરાતનું બજેટ

Gujarat Budget: વિધાનસભા સત્રનો આજે બીજો દિવસે છે. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ 20 ફેબ્રુઆરીના રોજ એટલે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ છે તેમણે 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ.


ગુજરાતના બજેટમાં થઇ આ જાહેરાતો

ગુજરાતના બજેટમાં થઇ આ જાહેરાતો
  1. નાણામંત્રીએ કહ્યું કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
  2. ગુજરાત બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 12659 કરોડ રૂપિયાની જોગવાઇ કરાવામાં આવી છે છે.
  3. રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી હોવાનું નાણામંત્રીએ જણાવ્યુ હતું. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે 1186 નવી જગ્યાઓ તથા IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 299 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
  4. સહકાર વિભાગ ને મજબૂત કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડમાં ધીરાણની મર્યાદા વધારીને 4 લાખ થી 5 લાખ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજ રાહત આપવામાં આવશે.
  5. શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  6. નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ, RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની જોગવાઈ, વિદ્યાર્થી બસ પાસ ફી કંસેશન માટે 223 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અંદાજિત 22 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં 78 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 410 કરોડ અમદાવાદની એલ.ડી ઇજનેરી સહિત 6 સરકારી ટેક્નિકલ સંસ્થાઓમાં AI લેબની સ્થાપના માટે 175 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  7. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23385 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પાછલા વર્ષના 20100 કરોડના બજેટમાં 16.35 કરોડનો વધારો કરાવામાં આવ્યો છે.
  8. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2 કરોડ 67 લાખ લોકોને કેસલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. GMERS મેડિકલ હોસ્પિટલ માટે 1392 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બીનચેપી રોગ અને અન્ય સમસ્યાઓના નિદાન માટે 400 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  9. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગંગાસરુપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને માસિક 1250ની સહાય માટે 3015 કરોડની જોગવાઈ, આંગણવાડીની બહેનોને માનદવેતન માટે 1241 કરોડ, પૂરક પોષણ યોજના હેઠળ 3-6 વર્ષના બાળકોને ભોજન આપવા 673 કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને પોષક આહાર માટે 372 કરોડની જોગવાઈ, પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓ માં કુપોષણનો દર ઘટાડવા 375 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  10. વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 217 કરોડની જોગવાઇ દૂધ સંજીવની યોજનામાં બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને દૂધ આપવા 133 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 30325 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  11. તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય સહાય માટે 3,353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 27,330 કરોડની જોગવાઈ, અમૃત 0 મિશન અંતર્ગત પાણી ડ્રેનેજ તળાવ અને પરિવહનના વિકાસ માટે 1,950 કરોડની જોગવાઈ, શહેરના વિવિઘ વિકાસ માટે 15 માં નાણા પંચ હેઠળ 1,376 કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે 1,360 કરોડની જોગવાઈ, સ્વચ્છ ભારત મીશન અને નિર્મળ ગુજરાત માટે 808 કરોડ જોગવાઈ કરવામાં આવી છે.
  12. પોષણને અગ્રિમતા આપતી યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે 21%ના વધારા સાથેની અંદાજીત ₹8200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  13. નાણામંત્રીએ જણાવ્યુ કે, શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે.
  14. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  15. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25641 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જળ સંપત્તિ વિભાગ માટે 13,366 કરોડની જોગવાઈ, સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1,334 કરોડની જોગવાઈ, સૌની યોજના માટે 813 કરોડની જોગવાઈ, કચ્છ માટેની યોજના હેતુ 1,400 કરોડની જોગવાઈ, સિંચાઇના માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ માટે 1,522 કરોડની જોગવાઈ
  16. 326 મોટા ચેકડેમ અને વિયર ડેમ બાંધવા માટે 832 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, તોસાબરમતી નદી પર બાકીના 6 વિયર બેરેજ માટે 750 કરોડની જોગવાઈ, ઉદ્વહન સિંચાઇ યોજના માટે 813 કરોડની જોગવાઈ, ડેમ સેફ્ટી માટે 501 કરોડની જોગવાઈ, માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ, માર્ગ અને મકાન વિભાગ માટે 24,705 કરોડની જોગવાઈ
  17. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ના કામો માટે 5,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓને જોડવા અને રીસરફેસ કરવા 2637 કરોડની જોગવાઈ, રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 1659 કરોડની જોગવાઈ, ભુજ-નખત્રાણા ચાર માર્ગીય હાઈસ્પીડ કોરિડોર ની કામગીરી માટે 937 કરોડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ના ત્રીજા તબક્કા માટે 600 કરોડ, ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારને જોડતા 63 રસ્તાઓ માટે 528 કરોડ, ઔદ્યોગિક વિસ્તારના જુના ફૂલો ના મજબૂતીકરણ અને મરામત માટે 385 કરોડ
  18. હવામાનમાં થતા ફેરફારો સામે ટકી શકે તેવા રસ્તાઓના બાંધકામ માટે 300 કરોડ, રાજ્યના મુખ્ય રોડ નેટવર્કના રસ્તા ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા 285 કરોડ, અમદાવાદ થી ડાકોર, સુરત થી નવસારી, વડોદરા થી એકતાનગર, રાજકોટ થી ભાવનગર, મહેસાણા થી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળાના રસ્તા માટે 278 કરોડ, રાજ્યના બંદરોને જોડતા 28 રસ્તાઓ ની સુધારણા માટે 187 કરોડ, સ્ટેટ હાઇવે ની મરામત અને જાળવણી માટે 180 કરોડ, ગાંધીનગરમાં સોળસો 80 ક્વાર્ટર્સના કામ માટે 120 કરોડ, ગાંધીનગર પેથાપુર મહુડી રોડ પર ફ્લાવર અને ચાર માર્ગે બનાવવા 85 કરોડ
  19. માનનીય પ્રધાનમંત્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા માટે સંત સુરદાસ યોજના” હેઠળ 80%ને બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85 હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
  20. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4283 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 1450 ડિલક્ષ અને 400 મીડી બસ સાથે કુલ 1850 નવી બસ માટે 766 કરોડની જોગવાઈ, 200 નવી પ્રિમિયમ AC બસ સાથે 25 પ્રવાસી યાત્રાધામો ને સાંકળવા 360 કરોડની જોગવાઈ, નવા ડેપો વર્કશોપ અને બસ સ્ટેશન ના આધુનિકીકરણ માટે 291 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

  21. રાજ્યના પ્રવાસન વિભાગના બજેટમાં 31% નો વધારો કરવામાં આવ્યો છે. પ્રવાસન વિકાસ માટે 6505 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી ધામ વિકાસ માટે 180 કરોડની વિશેષ જોગવાઈ છે.  પ્રવાસન સ્થળોના રસ્તાઓના વિકાસ માટે અલગ બજેટની જોગવાઈ કરવામાં આવી છે.

  22. ભરૂચ ખાતે ભાડભુત યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદાનુ પાણી ધરવપરાશ માટે આપવા માટે 5979 કરોડ રૂપિયા ફાળવાયા. અમદાવાદ ના નળકાંઠા વિસ્તારમાં સિંચાઇ સુવિધા વધારવા 875 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદાની નહેરના વિસ્તરણ માટે 501 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top