પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર
Fakhar Zaman ruled out of Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. હવે, પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.વાસ્તવમાં, પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીની બાકીની મેચોમાં નહીં રમી શકે.
ગુરુવારે ફખર ઝમાન ન્યૂઝીલેન્ડ સામે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. પાકિસ્તાની ઓપનર ફિલ્ડિંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જોકે, હવે ભારત સામેની મેચ પહેલા ફખર ઝમાનનું ઇજાગ્રસ્ત થવું પાકિસ્તાન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના A સ્પોર્ટ્સ અનુસાર, ફખર ઝમાન ટૂર્નામેન્ટની આગામી મેચોમાં જોવા નહીં મળે.
આ સિવાય તે પાકિસ્તાની ટીમ સાથે દુબઈ નહીં જાય. વાસ્તવમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ ઈજા બાદ, ફખર ઝમાન ઓપનિંગ કરવા આવ્યો નહોતો. તે નંબર-4 પર બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો. પરિણામે, ફખર ઝમાન 41 બૉલમાં 24 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
જોકે, હવે પાકિસ્તાનનો આગામી મેચ ભારત સામે છે. ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ, પાકિસ્તાન તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ બાંગ્લાદેશ સામે રમશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 27 ફેબ્રુઆરીએ રમાશે. હકીકતમાં, ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ, પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ અનુભવી રહ્યું છે.
હવે પાકિસ્તાનની ટીમ ભારત સામે કરો યા મરો જેવી સ્થિતિનો સામનો કરી રહી છે. તેથી, મોહમ્મદ રિઝવાનના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની ટીમ ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની આશાઓ જીવંત રાખવા માગશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp