પાકિસ્તાને ફરી કરી નાપાક હરકત, LoC પર ભારતીય ચોકીઓને નિશાન બનાવી ગોળીબાર કર્યો
પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે અને સરહદ પર ભારતીય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબાર કર્યો છે. સેનાના એક અધિકારીએ કહ્યું કે, રવિવારે સવારે 11:00 વાગ્યે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાર તેમની (ભારતીય) ચોકી પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. પોતાના પક્ષે કોઈ જાનહાનિ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp