જિંદગી અને મોત વચ્ચે જંગ! અનેક કલાકો બાદ પણ સુરંગમાં 8 લોકોનું જીવન,આ કારણે બચાવ કામગીરી અટકી

જિંદગી અને મોત વચ્ચે જંગ! અનેક કલાકો બાદ પણ સુરંગમાં 8 લોકોનું જીવન,આ કારણે બચાવ કામગીરી અટકી

02/24/2025 National

SidhiKhabar

SidhiKhabar

જિંદગી અને મોત વચ્ચે જંગ! અનેક કલાકો બાદ પણ સુરંગમાં 8 લોકોનું જીવન,આ કારણે બચાવ કામગીરી અટકી

Telangana Tunnel Collapse: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ ટનલ કેનાલ પ્રોજેક્ટ (SLBC)નો નિર્માણાધીન ભાગ તૂટી પડતા 8 કામદારો અંદર ફસાયા છે. સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે NDRF સાથે સેના પણ કામ કરી રહી છે. કામદારો લગભગ 14 કિલોમીટર અંદર છે. કામદારોને સુરંગમાં ફસાયાને 45 કલાક કરતાથી વધુ સમય વીતી ગયો છે. બચાવ કામગીરી માટે એજન્સીઓ દરેક રીત અજમાવી રહી છે. તમામ પ્રયાસો છતા, હજુ સુધી સફળતા મળી નથી.


આ કારણે બચાવ કામગીરી અટકી

આ કારણે બચાવ કામગીરી અટકી

ટનલનો છેલ્લો 200 મીટરનો હિસ્સો પાણી અને કાદવથી ભરેલો છે, જેને કારણે બચાવ ટીમો માટે ત્યાં પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.

ટનલની અંદર ભારે મશીનરી લઈ જવી શક્ય નથી. તેથી, અન્ય પદ્ધતિઓ દ્વારા કાટમાળ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બચાવકર્મી કાટમાળમાંથી પસાર થવા માટે રબરની ટ્યૂબ અને લાકડાના પાટિયાનો ઉપયોગ કરી રહ્યા છે.

કામદારોના બચવાની શક્યતા અંગે મંત્રીએ કહ્યું કે, 'અમે કંઈ કહી શકતા નથી. અમને આશા છે કે આવું જ થશે, પણ જે ઘટના બની તે ખૂબ જ ગંભીર હતી. અમે બચવાની શક્યતાઓની ભવિષ્યવાણી કરી શકતા નથી, શક્યતા એટલી સારી નથી.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, બચાવકર્મી કાદવ, ગંઠાયેલા લોખંડના સળિયા અને સિમેન્ટના જાડા સ્તરોમાંથી પસાર થતા જોવા મળે છે.


મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ શું કહ્યું

મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ શું કહ્યું

મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે જ્યારે સુરંગનો ભાગ તૂટી પડ્યો ત્યારે લગભગ 70 લોકો તેમાં કામ કરી રહ્યા હતા અને તેમાંથી મોટાભાગના લોકો બચવામાં સફળ રહ્યા. સુરંગમાં ફસાયેલા લોકોની ઓળખ ઉત્તર પ્રદેશના મનોજ કુમાર અને શ્રીનિવાસ, જમ્મુ અને કાશ્મીરના સન્ની સિંહ, પંજાબના ગુરપ્રીત સિંહ અને ઝારખંડના સંદીપ સાહૂ, જગતા જેસ, સંતોષ સાહૂ અને અનુજ સાહૂ તરીકે થઈ છે.

નાગરકુર્નૂલ જિલ્લા કલેક્ટર બી. સંતોષ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. સંતોષે કહ્યું કે, 'નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે.' જેમાંથી 1 હૈદરાબાદની અને 3 વિજયવાડાની છે, જેમાં 138 સભ્યો છે. આ ઉપરાંત, 24 આર્મી જવાનો, SDRF જવાનો, SCCLના 23 સભ્યો સાધનો સાથે બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

NDRFના એક અધિકારીએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું, 'ગઈકાલે રાત્રે એક ટીમ સુરંગની અંદર ગઈ હતી. ત્યાં ખૂબ કાટમાળ છે અને ટનલ ખોદનાર મશીન (TBM) પણ ક્ષતિગ્રસ્ત છે અને તેના ભાગો અંદર વેરવિખેર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top