ભારતનું એક એવું મંદિર જ્યાં પૂજામાં ઉપયોગ કરાયેલા લીંબુઓની થાય છે લાખોમાં હરાજી! જાણો શું છે તે

ભારતનું એક એવું મંદિર જ્યાં પૂજામાં ઉપયોગ કરાયેલા લીંબુઓની થાય છે લાખોમાં હરાજી! જાણો શું છે તેની વિશેષતા!?

03/29/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ભારતનું એક એવું મંદિર જ્યાં પૂજામાં ઉપયોગ કરાયેલા લીંબુઓની થાય છે લાખોમાં હરાજી! જાણો શું છે તે

દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યનું આ મંદિર તેની ભવ્યતા, સુંદરતા અને સંપન્નતાની સાથે એક ખાસ  કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ દર વર્ષે મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે. તમિલનાડુનું આ પ્રસિદ્ધ મંદિર વિલ્લુપુરમ છે. આ મંદિરમાં તાજેતરમાં જ પંગુની ઉથીરમ પૂજા ઉત્સવ સંપન્ન થયો છે. ત્યાર પછી પૂજા દરમિયાન મંદિરમાં રાખેલા 9 લીંબુની બોલી લગાડવામાં આવી હતી. અને આ લીંબુઓ અધધ 2.3 લાખ રૂપિયામાં વેચાયા હતા. બજારમાં માત્ર 20 થી 30 રૂપિયામાં મળતા આ લીંબુ લાખો રૂપિયામાં વેચાયા તેની પાછળ ખાસ કારણ છે. પૂજામાં રાખેલા આ લીંબુમાં ચમત્કારી શક્તિઓ હોવાનું લોકો માને છે.


દેવતાઓના પવિત્ર ભાલામાં રાખેલા લીંબુ

દેવતાઓના પવિત્ર ભાલામાં રાખેલા લીંબુ

વિલ્લુપુરમ મંદિરમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. મંદિરમાં નવ દિવસ સુધી ઉત્સવ ચાલે છે. અને દરેક દિવસે મંદિરના પૂજારી એક લીંબુને ભાલા પર રાખે છે. આ રીતે નવ દિવસના નવ લીંબુ એકઠા થાય છે. ઉત્સવના છેલ્લા દિવસે બધા જ લીંબુની નિલામી કરવામાં આવે છે. લોકોનું એમ પણ માનવું છે કે, પહેલા દિવસે જે લીંબુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમાં સૌથી વધુ શક્તિઓ રહેલી હોય છે.


આ વર્ષે ઉત્સવને અંતે લીંબુની નિલામી દરમિયાન પહેલા દિવસના લીંબુને ગામના એક દંપત્તિએ 50,000 રૂપિયામાં ખરીદ્યું હતું. અને આ રીતે બાકીના બીજા બધા લીંબુ કુલ 2,36,100 રૂપિયામાં નિલામ થયા હતા. અહીં વર્ષોથી ઉત્સવના છેલ્લા દિવસે પૂજામાં ઉપયોગમાં લીધેલા લીંબુની નીલામી થાય છે. આ લીંબુને પૂજા દરમિયાન દેવતાઓના પવિત્ર ભાલા પર લગાડવામાં આવ્યા હોય છે.


લીંબુનો ઉપયોગ કરનારને તેમના આશીર્વાદ ફળે છે

લીંબુનો ઉપયોગ કરનારને તેમના આશીર્વાદ ફળે છે

આ લીંબુને લઈને એવી માન્યતા છે કે, તેનો રસ કાઢી તેને પાણીમાં ભેળવીને પીવાથી નિ:સંતાન દંપત્તિને સંતાન પ્રાપ્તિ થાય છે. સાથે જ પરિવારમાં સુખ- સમૃદ્ધિ પણ વધે છે. અને આ માન્યતાના કારણે પૂજા પત્યા પછી લોકો લીંબુ ખરીદવા માટે ત્યાં પડાપડી કરે છે. અહીંના લોકોને દ્રઢ વિશ્વાસ છે કે, ભગવાન મુરુગાના ભાલામાં જાદુઈ શક્તિઓ હોય છે જે આ લીંબુમાં આવી જાય છે. અને આ લીંબુનો ઉપયોગ કરનારને તેમના આશીર્વાદ ફળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. SidhiKhabar તેની પુષ્ટિ કરતું નથી.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top