ઔરંગઝેબની કબર પર આર-પારના મૂડમાં બજરંગ દળ અને VHP, આપી નાખી આ ધમકી
મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવવાને લઈને મહારાષ્ટ્રમાં વિવાદ બંધ થતો નજરે પડી રહ્યો નથી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે સોમવારે ઔરંગઝેબની કબરના મુદ્દા પર રાજ્યમાં આંદોલનની જાહેરાત કરી દીધી. હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઔરંગઝેબની કબર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
VHP અને બજરંગ દળે મહારાષ્ટ્ર સરકારને ધમકી આપતા કહ્યું કે, જો ઔરંગઝેબની કબર દૂર કરવામાં વિલંબ થશે તો તેઓ બાબરી જેવી 'કાર સેવા' કરશે. હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ, ઔરંગઝેબની કબર પાસે સ્ટેટ રિઝર્વ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદના મહારાષ્ટ્ર-ગોવા પ્રદેશના વડા ગોવિંદ શેંડેએ રવિવારે સમાચાર એજન્સી IANS સાથે વાત કરતા કહ્યું હતું કે, કેટલાક લોકો ઔરંગઝેબના વખાણ કરવામાં વ્યસ્ત છે. ઔરંગઝેબે દેશ પર ઘણા અત્યાચાર કર્યા. તેઓએ હિન્દુઓ પર અત્યાચાર કર્યા. પોતાના પિતા પર ત્રાસ ગુજાર્યો. હવે ભારતમાં આવા ક્રૂર વ્યક્તિનું કોઈપણ પ્રતિક સહન કરવામાં નહીં આવે. તેથી, અમે સરકારને અપીલ કરીએ છીએ કે, હિન્દુઓની લાગણીઓને સમજે અને ઔરંગઝેબની કબર ત્યાંથી દૂર કરે.
#WATCH | Maharashtra | Security deployed at Aurangzeb’s Tomb in Chhatrapati Sambhajinagar Vishwa Hindu Parishad and Bajrang Dal have demanded the state government that Aurangzeb’s Tomb should be removed. pic.twitter.com/eWBHpI7HiW — ANI (@ANI) March 17, 2025
#WATCH | Maharashtra | Security deployed at Aurangzeb’s Tomb in Chhatrapati Sambhajinagar Vishwa Hindu Parishad and Bajrang Dal have demanded the state government that Aurangzeb’s Tomb should be removed. pic.twitter.com/eWBHpI7HiW
VHP નેતા કિશોર ચવ્હાણ, બજરંગ દળના નેતા નીતિન મહાજન, સંદેશ ભેગડે પુણેમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે ટૂંક સમયમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે જેમાં કબર દૂર કરવાની માગ કરવામાં આવશે. તેમણે ચીમકી આપી હતી કે જો સરકારે તેમની વાત ન સાંભળી તો બાબરી શૈલીમાં કાર સેવા કરવામાં આવશે. VHP અને બજરંગ દળે સોમવારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓએ પણ હિન્દુ સંગઠનોને ટેકો આપ્યો છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરખામણી મુઘલ શાસક ઔરંગઝેબ સાથે કરી છે. તેમણે મુખ્યમંત્રી ફડણવીસને મુઘલ શાસક જેટલા ક્રૂર ગણાવ્યા. સપકાલે કહ્યું કે, 'ઔરંગઝેબે પોતાના પિતાને કેદ કર્યા, પોતાના મોટા ભાઈની હત્યા કરી અને તેનું માથું કાપીને આખી દિલ્હીમાં ફેરવ્યું.' નાના ભાઈને પાગલ જાહેર કરીને મારી નાખવામાં આવ્યો. તે સમય-સમય પપ ફક્ત ધર્મનો ઉપયોગ કરતો હતો, તે ક્યારેય હજ માટે પણ ગયો નહોતો. ઔરંગઝેબે ધર્મનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે કર્યો. આજના સમયમાં, દેવેન્દ્ર ફડણવીસ પણ એટલા જ ક્રૂર છે. તેઓ હંમેશાં ધર્મનો સહારો લે છે. બીજી તરફ, ભાજપ દ્વારા આ નિવેદનની નિંદા કરવામાં આવી હતી અને તેને બાલિશ નિવેદન કહેવામાં આવ્યું હતું.
અબુ આઝમીના નિવેદનથી શરૂ થયો હોબાળો
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબ અંગે વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે સપાના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસકની પ્રશંસા કરી. ઔરંગઝેબના વખાણ કરવા બદલ અબુ આઝમીને વિધાનસભા સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હાલમાં, અબુ આઝમી જામીન પર બહાર છે અને પોલીસ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે વિવાદિત માળખાને તોડી પાડવા માટે દેશભરમાંથી 2 લાખથી વધુ લોકો અયોધ્યા પહોંચ્યા હતા. અહીં પહોંચેલા લોકોને 'કાર સેવકો' કહેવામાં આવતા હતા. હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે જાહેરાત કરી છે કે જો ઔરંગઝેબની કબર નહીં હટાવવામાં આવે તો 'કાર સેવા' કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp