‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’, ન્યાયાધીશો-અમલદારો સહિત 272 હસ્તીઓએ

‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’, ન્યાયાધીશો-અમલદારો સહિત 272 હસ્તીઓએ લખ્યો ખુલ્લો પત્ર

11/19/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ ચૂંટણી પંચને બદનામ કરી રહ્યા છે’, ન્યાયાધીશો-અમલદારો સહિત 272 હસ્તીઓએ

દેશના 272 દિગ્ગજોએ ચૂંટણી પંચના સમર્થનમાં એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. તેમાં 16 પૂર્વ જજ, 123 સેવાનિવૃત્ત નોકરશાહ અને 14 પૂર્વ રાજદ્વારી અને 133 પૂર્વ સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પત્રમાં કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ સતત પાયાવિહોણા આરોપો દ્વારા ચૂંટણી પંચ સહિત બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતાને સતત કલંકિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ખુલ્લા પત્રમાં જણાવાયું છે કે ભારતનું લોકશાહી આજે કોઈ બાહ્ય હુમલાથી નહીં, પરંતુ ‘ઝેરી રાજકીય નિવેદનબાજી’થી પડકારનો સામનો કરી રહી છે. સિગ્નેટરીમાં વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પંચ સામે પુરાવા છે, પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ કે સોગંદનામું દાખલ કરવામાં આવ્યું નથી, જે સાબિત કરે છે કે આરોપો ફક્ત રાજકીય રણનીતિ છે, સત્ય નથી.

પત્રમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેમની શોધ ‘એટમ બોમ્બ’ જેવી છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવા નિવેદનો ચૂંટણી પંચના અધિકારીઓને ધમકાવવાનો પ્રયાસ દર્શાવે છે.


ચૂંટણી પંચને ભાજપની B-ટીમ કહેવું રાજકીય હતાશા

ચૂંટણી પંચને ભાજપની B-ટીમ કહેવું રાજકીય હતાશા

દિગ્ગજોના મતે, ચૂંટણી પંચે સંપૂર્ણ પારદર્શિતા સાથે SIR પ્રક્રિયા જાહેર કરી છે, કોર્ટની નિરીક્ષણ હેઠળ ચકાસણી હાથ ધરી છે, નકલી મતદારોને દૂર કર્યા છે અને નવા પાત્ર મતદારો ઉમેર્યા છે. એવામાં ચૂંટણી પંચને ભાજપની B-ટીમ કહેવું એ રાજકીય હતાશા છે, હકીકતો પર આધારિત આરોપ નહીં.

સિગ્નેટરીઝે જણાવ્યું હતું કે જ્યારે રાજ્યોમાં વિરોધ પક્ષોને અનુકૂળ ચૂંટણી પરિણામો મળે છે ત્યારે ચૂંટણી પંચની ટીકા ગાયબ થઈ જાય છે, પરંતુ જ્યારે પ્રતિકૂળ પરિણામો આવે છે, ત્યારે ચૂંટણી પંચને ખલનાયક બનાવી દેવામાં આવે છે. આ પસંદગીયુક્ત આક્રોશ રાજકીય તકવાદને ઉજાગર કરે છે.


પારદર્શિતા જાળવવા ચૂંટણી પંચને અપીલ

પારદર્શિતા જાળવવા ચૂંટણી પંચને અપીલ

ખુલ્લા પત્રમાં ચેતવણી આપવામાં આવી હતી કે દેશની મતદાર યાદીમાંથી નકલી મતદારો અને બિન-નાગરિકોને દૂર કરવા લોકશાહી માટે જરૂરી છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન અને જર્મની જેવા દેશોના ઉદાહરણો આપતા કહેવામાં આવ્યું છે કે નાગરિકતા આધારિત મતદાનને વિશ્વભરમાં લોકશાહીનો પાયો માનવામાં આવે છે. ભારતે પણ એજ કઠોરતા સાથે મતદાર યાદીઓની શુદ્ધતા જાળવી રાખવી જોઈએ.

દિગ્ગજોએ અપીલ કરી કે, નેતાઓએ ચૂંટણી પંચને પારદર્શિતા જાળવવા અને જો જરૂરી હોય તો, કાનૂની માધ્યમથી તેની વિશ્વસનીયતાનું રક્ષણ કરે. સાથે જ તેમણે રાજકીય પક્ષોને નીતિગત વિકલ્પો રજૂ કરવા અને પાયાવિહોણા આરોપો લગાવવાને બદલે લોકશાહી નિર્ણયોનો આદરપૂર્વક સ્વીકાર કરવા પણ વિનંતી કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top