માલદીવની સ્થિતિ દિવસે દિવસે થઈ રહી છે કફોળી, ત્યારે ફરી એક્વાર ભારતે મદદનો હાથ લંબાવ્યો.
માલદીવની આવક પ્રવાસીઓ અને પર્યટન પર સૌથી વધુ નિર્ભર છે. આવી સ્થિતિમાં હવે બહિષ્કારને કારણે તેની કમાણીને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તે તેમાંથી બહાર આવી શકતો નથી. જેના કારણે માલદીવે ઘણી વખત મદદની અપીલ કરી છે. માલદીવમાં સ્થિતિ સુધરી રહી નથી તેથી ફરી એકવાર ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારત સાથે ગડબડ માલદીવને મોંઘી પડી રહી છે. જ્યારથી ભારતના લોકોએ માલદીવનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું છે ત્યારથી માલદીવને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. માલદીવની આવક પ્રવાસીઓ અને પર્યટન પર સૌથી વધુ નિર્ભર છે. આવી સ્થિતિમાં હવે બહિષ્કારને કારણે તેની કમાણીને મોટું નુકસાન થઈ રહ્યું છે. માલદીવ પરિસ્થિતિને સંભાળવા માટે ભારતને મદદ માટે વારંવાર વિનંતી કરી રહ્યું છે અને ભારતે ઘણી વખત દેશની મદદ કરી છે. ફરી એકવાર ભારતે આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ તરફ મદદનો હાથ લંબાવ્યો છે.ભારતીય સ્ટેટ બેંકે માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ US $ 50 મિલિયનના ટ્રેઝરી બિલ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે. આ સબ્સ્ક્રિપ્શન એક વર્ષના સમયગાળા માટે છે, જે 19 સપ્ટેમ્બર, 2024થી શરૂ થાય છે. ટ્રેઝરી બિલમાં સબ્સ્ક્રાઇબ કરવાનો અર્થ એ છે કે SBI માલદીવ સરકારને નિશ્ચિત સમયગાળા માટે નાણાં ઉછીના આપે છે.
અગાઉ મે 2024 માં, માલદીવ સરકારની વિનંતી પર એસબીઆઈએ સમાન પદ્ધતિ હેઠળ યુએસ $ 50 મિલિયનના મૂલ્યના ટી-બિલની સબ્સ્ક્રાઇબ કરી હતી. આ સબ્સ્ક્રિપ્શન્સ માલદીવ સરકારની વિનંતી પર કટોકટીની નાણાકીય સહાય માટે કરવામાં આવ્યા છે.
ટ્રેઝરી બિલ એ સરકાર દ્વારા જારી કરાયેલ ટૂંકા ગાળાના દેવાના સાધનો છે, જેનો ઉપયોગ સરકાર તેની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરે છે. માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર હાલમાં શ્રીલંકામાં છે. તાજેતરમાં, જમીરે દાવો કર્યો હતો કે દેશ જે નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે અસ્થાયી છે અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી મદદ લેવાની જરૂર નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp