જયશંકરની સુરક્ષામાં ચૂકનો મામલો, ભારતના જોરદાર વાંધો ઉઠાવ્યા બાદ બ્રિટને પણ કહ્યું- 'આવી ભૂલ અસ્વીકાર્ય છે'
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષામાં થયેલી ચૂક અંગે બ્રિટન પણ ગંભીર બન્યું છે. બ્રિટને કહ્યું કે ભારતીય વિદેશ મંત્રીની સુરક્ષામાં આવી ભૂલ અસ્વીકાર્ય છે. અમે આની સખત નિંદા કરીએ છીએ. જયશંકરની બ્રિટન મુલાકાત દરમિયાન સુરક્ષામાં થયેલી ખામી અંગે ભારતના કડક વાંધાને યુકેએ પણ ગંભીરતાથી લીધો છે. બ્રિટને કહ્યું કે ભારતીય વિદેશ મંત્રીની સુરક્ષામાં થયેલી ચૂક અસ્વીકાર્ય છે. યુકેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મેટ્રોપોલિટન પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે ઝડપથી કામ કર્યું. "અમે અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર અમારા તમામ રાજદ્વારી મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. સુરક્ષાને નબળી પાડવાના આવા પ્રયાસોની અમે સખત નિંદા કરીએ છીએ."
બુધવારે લંડનના ચેથમ હાઉસમાં ચર્ચા પછી એસ જયશંકર બહાર આવી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમની કાર તરફ દોડી ગયો અને પોલીસ અધિકારીઓની સામે ભારતીય રાષ્ટ્રધ્વજ ફાડી નાખ્યો. બ્રિટને આ ઘટનાની સખત નિંદા કરી છે જેમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓના એક જૂથે વિદેશ મંત્રી એસ જયશંકરની લંડન મુલાકાતને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ સુરક્ષા ભંગ સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને આ મામલે બ્રિટિશ સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ભારત સરકારે સુરક્ષા ભંગ સામે કડક વાંધો ઉઠાવ્યો અને "ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ" ની નિંદા કરી તેના થોડા કલાકો પછી આ ઘટના પર યુકેનો પ્રતિભાવ આવ્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં "અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓ" ના નાના જૂથ દ્વારા "લોકશાહી સ્વતંત્રતાઓ" ના દુરુપયોગની નિંદા કરી અને યુકેને કડક સંદેશ પણ આપ્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp