જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો, સેનાના વાહન પર અનેક રાઉન્ડ ગોળીબાર
Army Vehicle Attacked by Terrorists in Jammu and Kashmi: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. અહીં સેનાના વાહન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુના રોજારીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12:45 વાગ્યે સેનાના વાહન પર 4-5 રાઉન્ડ ગોળીબાર થયો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળથી ભાગી ગયા હતા. હાલમાં આ ઘટનામાં કોઈના ઇજાગ્રસ્ત થવાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે.
જ્યાં આ હુમલો થયો છે તે જમ્મુનો સુંદરબની વિસ્તાર LoC ને અડીને આવેલો છે. સવારથી અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે દરમિયાન સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો. જોકે, સેનાએ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ વિસ્તાર પાકિસ્તાન સરહદને અડીને છે, તેથી પોલીસને હાલમાં ત્યાં જવાની મંજૂરી નથી. સેના પોતે ત્યાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ પણ પ્રકાશમાં આવ્યું છે કે ગોળીબાર ફક્ત એક જ બાજુથી થયો હતો; ગોળીબાર બાદ હુમલાખોરો તરત જ ભાગી ગયા હતા અને નજીકના વિસ્તારોમાં છુપાઈ ગયા હતા. સેનાના જવાનોને જવાબી ફાયરિં કરવાની તક પણ મળી નહીં. ત્યારબાદ, સેનાના જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.
શરૂઆતની તપાસના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સેનાના વાહનની ગતિવિધિ દરમિયાન આ આકસ્મિક ગોળીબાર હતો. જોકે, આ મામલે હજુ સુધી સેનાના કોઈપણ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
7 ફેબ્રુઆરીના રોજ, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. તેમાંથી 2-3 પાકિસ્તાની સેનાના સૈનિકો હતા, જ્યારે કેટલાક અલ બદ્ર સંગઠન સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ સંગઠન પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથોમાંનું એક છે, જે ભારતીય ક્ષેત્રમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરતું રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp