INDIA ગઠબંધનનો મોટો નિર્ણય: "અમે નફરતના બજારના ગ્રાહક નહીં બનીએ" જાણો ભાજપે આ મામલે શું કહ્યું

INDIA ગઠબંધનનો મોટો નિર્ણય: "અમે નફરતના બજારના ગ્રાહક નહીં બનીએ" જાણો ભાજપે આ મામલે શું કહ્યું?

09/15/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

INDIA ગઠબંધનનો મોટો નિર્ણય:

વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (INDIA)ના તમામ પક્ષોએ મોટો નિર્ણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત 14 જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જોકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA)એ કહ્યું કે આ નિર્ણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે.



ભાજપે શું કહ્યું આ મામલે?

જ્યારે આ મામલે સત્તાધારી ભાજપે વિપક્ષના ગઠબંધન સામે નિશાન તાકતાં તેમના આ નિર્ણયની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન દેશ પર લદાયેલી કટોકટી સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે INDIA ગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે 13 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાયેલી બેઠકમાં INDIA કોઓર્ડિનેશન કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયો મુજબ વિપક્ષી ગઠબંધનના પક્ષો આ 14 એન્કરના શો અને કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિને નહીં મોકલે.


આ એક ખતરનાક ઉદાહરણ બનશે-NBDA

આ એક ખતરનાક ઉદાહરણ બનશે-NBDA

વિપક્ષી દળોના ગઠબંધનને આ નિર્ણય પાછો ખેંચી લેવાનો આગ્રહ કરતાં NBDAએ કહ્યું કે INDIAની મીડિયા સમિતિના અમુક પત્રકારો / એન્કરોના શો અને કાર્યક્રમોમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાના નિર્ણયથી તે વ્યથિત અને ચિંતિત છે. આ એક ખતરનાક ઉદાહરણ બનશે. કોંગ્રેસ મીડિયા વિભાગના પ્રમુખ અને INDIAની મીડિયા સમિતિના સભ્ય પવન ખેડાએ કહ્યું કે રોજ સાંજે પાંચ વાગ્યે અમુક ચેનલ પર નફરતની દુકાનો લગાવાતી હતી. અમે નફરતના બજારના ગ્રાહક નહીં બનીએ. અમારો ઉદ્દેશ્ય નફરત મુક્ત ભારતનો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top