હજી પણ કોણે છુપાવી રાખી છે 2000ની નોટ? RBIએ જણાવ્યું કેટલી નોટો બહાર છે

હજી પણ કોણે છુપાવી રાખી છે 2000ની નોટ? RBIએ જણાવ્યું કેટલી નોટો બહાર છે

06/03/2025 Business

SidhiKhabar

SidhiKhabar

હજી પણ કોણે છુપાવી રાખી છે 2000ની નોટ? RBIએ જણાવ્યું કેટલી નોટો બહાર છે

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2 વર્ષ અગાઉ 2000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. તેમ છતા, આજે પણ 6181 કરોડ રૂપિયાની નોટો ચલણમાં છે. સોમવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં આ માહિતી મળી છે. આ 2000 રૂપિયાની નોટો હજુ પણ કાયદેસર મુદ્રા છે. RBIએ 19 મે 2023ના રોજ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 મે 2023ના રોજ ચલણમાંથી 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ રૂપિયા હતું, જે 31 મે 2025ના રોજ કારોબાર બંધ થવા પર ઘટીને 6,181 કરોડ રૂપિયા થઈ ગયું.


2000 રૂપિયાની બેન્ક નોટોમાંથી 98.26 ટકા પરત આવી

2000 રૂપિયાની બેન્ક નોટોમાંથી 98.26 ટકા પરત આવી

કેન્દ્રીય બેન્કે કહ્યું કે, ‘આ પ્રકારે 19 મે 2023 સુધી ચલણમાં રહેલી 2000 રૂપિયાની બેન્ક નોટોમાંથી 98.26 ટકા પરત આવી ગઈ છે. આ બેન્ક નોટો જમા કરાવવા અને/અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી બધી બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા માત્ર ભારતીય રિઝર્વ બેન્કની 19 ઇશ્યૂ ઓફિસોમાં જ ઉપલબ્ધ છે.


અહી નોટો આજે પણ અહીં સ્વીકારવામાં આવી રહી છે

અહી નોટો આજે પણ અહીં સ્વીકારવામાં આવી રહી છે

RBI ઇશ્યૂ ઓફિસો 9 ઓક્ટોબર 2023થી લોકો અને સંસ્થાઓ પાસેથી 2000 રૂપિયાની બેન્ક નોટો તેમના બેન્ક ખાતામાં જમા કરાવવા માટે સ્વીકારી રહી છે. આ ઉપરાંત, લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસથી ભારતીય પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટોને બેન્ક ખાતામાં જમા કરાવવા માટે કોઈપણ RBI ઓફિસમાં મોકલી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top