4 સપ્ટેમ્બરના રોજ ગુરુ થશે વક્રી, આ 5 રાશિના જાતકોને ખાસ કાળજી લેવાની જરૂરત

4 સપ્ટેમ્બરના રોજ ગુરુ થશે વક્રી, આ 5 રાશિના જાતકોને ખાસ કાળજી લેવાની જરૂરત

09/02/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

4 સપ્ટેમ્બરના રોજ ગુરુ થશે વક્રી, આ 5 રાશિના જાતકોને ખાસ કાળજી લેવાની જરૂરત

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ દેવ બૃહસ્પતિને સુખ, સંપદા, વૈભવ, ઐશ્વર્ય, પ્રેમ અને સુખ સુવિધાઓનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહની ચાલ તમામ 12 રાશિઓ પર અલગ અલગ પ્રભાવ જોવા મળે છે. ગુરુ ગ્રહ 4 સપ્ટેમ્બર 2023ના રોજ મેષમાં વક્રી થશે અને 31 ડિસેમ્બરે માર્ગી થશે. ગુરુના વક્રી થવાથી તમામ રાશિઓ પર અસર પડશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેના પર નકારાત્મક અસર જોવા મળશે.


મેષ

મેષ

ગુરુની વક્રી ગતિના કારણે મેષ રાશિના જાતકોને ભાગ્યનો સાથ નહીં મળે. આ સમયગાળા દરમિયાન, મેષ રાશિવાળા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારો ખર્ચ વધી શકે છે. ગુરુ તમારી રાશિના બારમા ઘરનો સ્વામી છે. આ સમય દરમિયાન, તમારે તમારું નાણાકીય બજેટ કાળજીપૂર્વક તૈયાર કરવાની જરૂર છે.


વૃષભ

વૃષભ

આ રાશિના જાતકો માટે ગુરુની વક્રી ગતિ શુભ રહેશે નહીં. જો રોકાણ કરવામાં આવે તો તેમાંથી નફો ઓછો થશે. વૈભવી વસ્તુઓમાં ઘટાડો થશે અને તમે તમારા સાચા શુભચિંતકો અને દુશ્મનોને સારી રીતે સમજી શકશો. ઘરેલું જીવનમાં થતી ભૂલો પર ધ્યાન આપવાનો સારો સમય છે.


કર્ક

કર્ક

નોકરીયાત લોકોને નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે, ટ્રાન્સફર પણ થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. તમારે તમારા પિતા સાથે કેટલાક મુદ્દાઓ પર સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કેટલાક જૂના રોગ તમને અસર કરી શકે છે.


સિંહ

સિંહ

સિંહ રાશિવાળા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ટૂંકા અથવા લાંબા અંતરની મુસાફરીમાં મુશ્કેલીઓ અથવા વિલંબનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થશે, વૈવાહિક જીવન સમસ્યાઓથી ઘેરાયેલું રહી શકે છે. ધનના અતિશય ખર્ચને કારણે મન પરેશાન રહેશે.


ધન

ધન

ધન રાશિવાળા લોકોએ ગુરૂના વક્રીના સમયગાળા દરમિયાન તેમની માતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત રહેવું પડશે. તેમની સાથે ટકરાવ અને દલીલો ટાળો. તેમના પ્રત્યેની તમારી જવાબદારીઓને સમજો. આ સમય દરમિયાન તમારા વૈવાહિક અને અંગત જીવનમાં પણ સમસ્યાઓ આવી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top