શું ધરતી પર આવવાની છે આપત્તિ? ઉજ્જૈન મહાકાલ મંદિરથી મળ્યા મોટા સંકેત; પૂજારીએ બતાવ્યો શિવજીનો ઈ

શું ધરતી પર આવવાની છે આપત્તિ? ઉજ્જૈન મહાકાલ મંદિરથી મળ્યા મોટા સંકેત; પૂજારીએ બતાવ્યો શિવજીનો ઈશારો

06/03/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

શું ધરતી પર આવવાની છે આપત્તિ? ઉજ્જૈન મહાકાલ મંદિરથી મળ્યા મોટા સંકેત; પૂજારીએ બતાવ્યો શિવજીનો ઈ

વિશ્વ વિખ્યાત બાબા મહાકાલનો દરબાર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહી મંદિરને લઈને સેકડો માન્યતાઓ છે, જે સમય-સમય પર જોવા મળે છે. નોતપા દરમિયાન પણ હવામાનમાં ગરમી નહીં, ઠંડા પવનો સાથે આંધી-તોફાન જોવા મળ્યું હતું. આ દરમિયાન, મહાકાલ મંદિરમાં એક અભૂતપૂર્વ ઘટના બની. જોરદાર પવનને કારણે, મહાકાલેશ્વર મંદિરના શિખર પરનો સુવર્ણ ધ્વજ અચાનક પડી ગયો, જેના કારણે મહાકાલના ભક્તો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે.

આ આખો મામલો 2-3 દિવસ જૂનો હોવાનું કહેવાય છે. આ ઘટનામાં સારી વાત એ હતી કે કોઈને ઈજા થઈ નથી, પરંતુ આ ઘટનાએ મંદિર પ્રશાસનની સાવધાની અને વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે. ધ્વજને ફરીથી લગાવવાનું કરવાનું કામ શરૂ થઈ ગયું છે. તો, પૂજારીઓ માની રહ્યા છે કે આ અનિચ્છનીયતાના સંકેત હોય છે. જો કે, ભગવાન પોતે અહીં બિરાજમાન હોવાથી, આવી શક્યતા ઓછી છે.


જાણો ધ્વજ ક્યારે પડ્યો?

જાણો ધ્વજ ક્યારે પડ્યો?

2-3 દિવસ અગાઉ જોરદાર પવનને કારણે ઉજ્જૈનમાં કેટલીક જગ્યાએ આંધી-તોફાનની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. શક્ય છે કે આ ધ્વજ ઢીલો થઈને નીચે પડી ગયો હશે. જ્યારે આ ઘટના થઈ ત્યારે મંદિરમાં સેકડો ભક્ત દર્શન કરી રહ્યા હતા. મંદિર પ્રશાસને તરત જ એ જગ્યાને ખાલી કરાવી દીધી અને પડેલા ધ્વજને સુરક્ષિત રાખી લીધો.

મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું કે, આ ઘટના ખૂબ જ અસામાન્ય છે. ધાર્મિક રીતે આ ચિંતાનો વિષય છે. પરંપરા મુજબ, પડી ગયેલા ધ્વજને ફરીથી લગાવવામાં આવશે. તેના માટે, શિખર પર મચાન બાંધીને ધ્વજ લગાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ મહાકાલ પોતે મૃત્યુને હરાવનાર કહેવાય છે. તેમની હાજરીમાં કંઈ અનિસ્ચ્છનીયતા થઈ શકતી નથી. એટલે એવું ન માનશો કે કંઈક ખોટું થવાનું છે.


કાળોના કાળ છે ભગવાન મહાકાલ

કાળોના કાળ છે ભગવાન મહાકાલ

મંદિરના પૂજારીએ આ ઘટના પર પોતાનો જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે, બાબા મહાકાલ કાળોના કાળ છે. તેઓ પોતે જ તમામ પ્રકારની આફતોને દૂર કરનાર છે. પરંતુ જો શિખર પરથી ધ્વજ પડી જવાની ઘટનાને અશુભ માનવામાં આવે છે, તો તેના માટે બધાએ ભક્તિભાવથી પૂજા, પાઠ અને ધ્યાન કરવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top