જ્યાં થયો હતો આતંકી એટેક, ત્યાં જ ઉતર્યું ગૃહ મંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર, જુઓ વીડિયો
મંગળવારે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને 13 ઇજાગ્રસ્ત થયા હતા. બુધવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારોને મળ્યા. શાહને જોતા સાથે જ પીડિત પરિવારોની ધીરજ ખૂટી ગઈ અને તેઓ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તેમની હાલત જોઈને ગૃહમંત્રી પણ દુઃખી થઈ ગયા અને લાચાર પરિવારો સામે હાથ જોડતા રહ્યા. તેમણે હુમલામાં પિતા ગુમાવનારા બાળકોના માથા પર હાથ ફેરવીને તેમને સાંત્વના આપી. વડીલોના ખભા પકડીને તેમને ખાતરી આપી. તેણે એક પીડિતને પણ ગળે લગાવ્યો. અમિત શાહને મળતા સાથે જ, પોતાના પ્રિયજનો ગુમાવનાર મહિલાઓએ પોતાની આપવીતી સંભળાવી. ત્યારબાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલગામ આતંકવાદી હુમલાના સ્થળ બૈસરન મેદાન પહોંચ્યા, જ્યાં આતંકવાદી હુમલો થયો હતો.
જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓએ પસંદગીપૂર્વક હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવ્યા, જેના કારણે લોકોમાં ગુસ્સો વધ્યો છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ આતંકવાદીઓ સામે કડક અભિયાન ચલાવવાની માગ કરી રહી છે.
#WATCH | Union Home Minister Amit Shah arrives at Baisaran meadow, the site of the Pahalgam terror attack pic.twitter.com/i9f6muLgTq — ANI (@ANI) April 23, 2025
#WATCH | Union Home Minister Amit Shah arrives at Baisaran meadow, the site of the Pahalgam terror attack pic.twitter.com/i9f6muLgTq
ગૃહમંત્રી અમિત શાહ પરિસ્થિતિની પર ચર્ચા કરવા માટે કાશ્મીર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદી સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. આ દરમિયાન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અસરગ્રસ્ત પ્રવાસીઓ અને પીડિતોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લીધા છે. મંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે અને સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
With a heavy heart, paid last respects to the deceased of the Pahalgam terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. pic.twitter.com/bFxb2nDT4H — Amit Shah (@AmitShah) April 23, 2025
With a heavy heart, paid last respects to the deceased of the Pahalgam terror attack. Bharat will not bend to terror. The culprits of this dastardly terror attack will not be spared. pic.twitter.com/bFxb2nDT4H
તાત્કાલિક રાહત પગલાંના ભાગ રૂપે, શ્રીનગરથી 4 ખાસ ફ્લાઇટ્સ (2 દિલ્હી અને 2 મુંબઈ)ની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ ખાલી કરાવવાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધારાની ફ્લાઇટ્સ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. રામ મોહન નાયડુએ તમામ એરલાઇન ઓપરેટરો સાથે તાત્કાલિક બેઠક યોજી હતી અને ભાવ વધારા સામે કડક સલાહ આપી હતી. આ સંવેદનશીલ સમય દરમિયાન કોઈ પણ મુસાફર પર બોજ ન પડે તે માટે એરલાઇન્સને નિયમિત ભાડા સ્તર જાળવી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp