પુલ પરથી પસાર થતી મુસાફરોથી ભરેલી બસમાં લાગી આગ, બળીને રાખ થઇ, જુઓ વીડિયો
બિહારના હાજીપુરમાં મુસાફરોથી ભરેલી બસમાં આગ લાગવાથી હોબાળો મચી ગયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગઇ છે. આ મામલો મહાત્મા ગાંધી સેતુ પુલ સાથે સંબંધિત છે. જોકે, બાદમાં ફાયર બ્રિગેડના વાહનોએ ખૂબ મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
શું છે આખો મામલો?
મુસાફરોથી ભરેલી બસ હાજીપુરથી પટના જઇ રહી હતી. આ બસ મહાત્મા ગાંધી સેતુ પુલ પાસે અકસ્માતનો ભોગ બની હતી. બસમાં અચાનક આગ લાગવાથી અરાજકતા ફેલાઇ ગઇ હતી. આ સમય દરમિયાન બસના મુસાફરો પોતાનો જીવ બચાવવા માટે ભાગી નીકળ્યા હતા. બસ હજુ પણ મહાત્મા ગાંધી સેતુ પુલ પર ઉભી છે અને સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગઇ છે. આગ પર કાબૂ મેળવવા માટે પટના અને હાજીપુરથી ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઇ હતી. જોકે, બાદમાં ફાયર બ્રિગેડના વાહનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ મામલે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે પુલ પર એક પેસેન્જર બસમાં આગ લાગી હતી. રસ્તા પર જામ છે. અમે રસ્તો સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મુસાફરોને કોઇ નુકસાન થયું નથી અને બધા મુસાફરો સુરક્ષિત છે.
पटना के गांधी सेतू पूल पर चलती बस में अचानक लगी आग,यात्री कूद कूद बचायी जान #Patna #fire #Bus pic.twitter.com/uYmosJQOM4 — News Stand (@newsstand_india) January 11, 2025
पटना के गांधी सेतू पूल पर चलती बस में अचानक लगी आग,यात्री कूद कूद बचायी जान #Patna #fire #Bus pic.twitter.com/uYmosJQOM4
આ પહેલા નવેમ્બર 2024માં ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે પર એક બસમાં આગ લાગી હતી. આ બસમાં પણ અચાનક આગ લાગી ગઇ હતી અને તેમાં છઠના તહેવાર પર બિહાર જઇ રહેલા ઘણા મુસાફરો પણ સવાર હતા. આ બસમાં લગભગ 40 મુસાફરો હતા અને તેમાંથી મોટાભાગના બિહારના રહેવાસી હતા. આ લોકો નોઇડામાં અલગ-અલગ કંપનીઓમાં કામ કરતા હતા. આ બસ પણ સંપૂર્ણપણે બળીને રાખ થઇ ગઇ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp