પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસની તિથિ 24 ઓક્ટોબરના દિવસે રવિવારે સાંજે 05 વાગીને 04 મિનિટથી પ્રારંભ થઇ રહી છે અને આ તિથિ બીજા દિવસે 25 ઓક્ટોબર સોમવારે સાંજે 04 વાગીને 35 મિનિટ સુધી માન્ય છે.
દિવાળી પર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી અને કુબેરની પૂજા અમાસની તિથિએ રાત્રિના સમયે કરવામાં આવે છે. આ કારણે 24 ઓક્ટોબર સોમવારે હસ્ત નક્ષત્ર બાદ ચિત્રા નક્ષત્ર અને વિષ્કુંભ યોગમાં દિવાળી પૂજા અને દીપદાન થશે. આ દિવસે સવારે ચતુર્દશી તિથિ હોવાના કારણે સવારમાં હનુમાનજીના દર્શન કરવા શુભ ફળદાયી રહેશે.
દિવાળીના દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને કુબેરની પૂજા કરવામાં આવે છે. તેથી તેની સાથે સંબંધિત પૂજા સામગ્રી હોવી જરૂરી છે. આ દિવસે શ્રીયંત્ર, કુબેર યંત્રનું પૂજન લાભકારક અને ઉન્નતિ પ્રદાન કરનાર માનવામાં આવે છે.
લક્ષ્મી મૂર્તિ, ગણેશ મૂર્તિ, કુબેરની છવિ, લાલ વસ્ત્ર, પીળું વસ્ત્ર, ચૌકી, દેવી-દેવતાઓ માટે આસન, અર્પણ કરવાના વસ્ત્રો, અક્ષત, હળદર, રૂ, કમલગટ્ટા, કમળનું ફૂલ, લાલ ગુલાબ, લાલ ફૂલ, રોલી, ધાણા, સિંદૂર , પાન, સોપારી, પંચ પલ્લવ, દુર્વા, કુશ, સપ્તધાન, કુમકુમ, ચંદન, ધૂપ, દીવો, સફેદ મીઠાઇ અથવા ખીર, પતાશા, મોદક, શ્રી યંત્ર, કુબેર યંત્ર, ચાંદી અથવા સોનાનો સિક્કો, નાળિયેર, શંખ, કોડી, રૂની દિવેટ, એલચી, રક્ષાસૂત્ર, કેળાના પાન, કપૂર, ગુલાલ, યજ્ઞોપવીત, ગંગાજળ, શુદ્ધ ઘી, નૈવેદ્ય, દહીં, દૂધ, ફળ, મધ વગેરે.