અમેરિકન આર્મીના પૂર્વ કમાન્ડરનો પુત્ર IT નોકરી છોડીને અખાડામાં સામેલ થયો

અમેરિકન આર્મીના પૂર્વ કમાન્ડરનો પુત્ર IT નોકરી છોડીને અખાડામાં સામેલ થયો

01/17/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

અમેરિકન આર્મીના પૂર્વ કમાન્ડરનો પુત્ર IT નોકરી છોડીને અખાડામાં સામેલ થયો

Former US Army Commander's Son Joins 'Akhara' As Mahamandaleshwar At Maha Kumbh: પ્રથમ દૃષ્ટિએ, વ્યાસાનંદ ગિરી મહાકુંભમાં અન્ય મહામંડલેશ્વરોની જેમ દેખાય છે અને નિરંજની અખાડામાં ફરતા જોવા મળે છે જ્યાં તેમને રવિવારે મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા હતા. એક વસ્તુ જે તેમને અન્ય અખાડાના સંતોથી અલગ પાડે છે તે એ છે કે તે પૂર્વ અમેરિકન આર્મી કમાન્ડરના પુત્ર છે. વ્યાસાનંદ ગિરી આ વિષય પર કોઈ પ્રશ્નનો જવાબ આપતા નથી, પરંતુ પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહંત રવિન્દ્ર પુરીએ આ વાતની પુષ્ટિ કરી હતી.

આધ્યાત્મ પ્રત્યે એવી લગન લાગી કે બધું જ છોડી દીધું

રવિન્દ્ર પુરીએ કહ્યું કે, “તે અમેરિકન આર્મીના પૂર્વ વરિષ્ઠ કમાન્ડરનો પુત્ર ટોમ છે અને એક IT કંપનીમાં સારી નોકરી કરતો હતો. પરંતુ તેને આધ્યાત્મિકતા પ્રત્યેનો એવો જુસ્સો લાગ્યો કે તેણે બધું જ છોડી દેવાનું નક્કી કર્યું.” મહામંડલેશ્વર વ્યાસાનંદ ગિરી બનવાથી લઈને ટોમની આધ્યાત્મિક સફર વિશે વિગત આપતા પુરીએ કહ્યું કે, “ટોમ IT  સેક્ટરમાં કામ કરતો હતો. થોડા સમય બાદ, આધ્યાત્મિકતા તરફ તેમનો ઝુકાવ વધ્યો અને તેમણે સનાતન ધર્મ અપનાવવાનું નક્કી કર્યું અને આખરે સંન્યાસ લઇ લીધો. તેમણે યોગ અને ધ્યાન કરવાનું શરૂ કર્યું, હિન્દુત્વ અને સનાતની સંસ્કૃતિ પર ખૂબ સંશોધન કર્યું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ અવારનવાર ઋષિકેશ જતા હતા અને મને મળતા હતા.”


ટોમને મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કરાયા

ટોમને મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કરાયા

તેમણે ખુલાસો કર્યો કે રવિવારે આધ્યાત્મિક સમારોહ બાદ, તેમણે ટોમને વ્યાસાનંદ ગિરી તરીકે નવું નામ આપ્યું અને મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક કર્યો. અખાડા પરિષદના પ્રમુખ પુરીએ કહ્યું કે, “તેનો અર્થ એ છે કે વ્યક્તિએ આત્માને જાગૃત કરી લીધો છે, ધ્યાન અને યોગને પકડી લીધો છે અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું શીખી લીધું છે. આ હોદ્દાનો અર્થ એ છે કે તે સનાતન ધર્મની રક્ષા માટે પોતાનો જીવન પણ બલિદાન આપવા તૈયાર છે અને ટોમ તેની આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા માટે તૈયાર છે તેવા વિશ્વાસ સાથે અમે તેનો પટ્ટાભિષેક કર્યો હતો.

જ્યારે પૂછવામાં આવ્યું કે જો વિદેશીઓ હિંદુ રીતિ-રિવાજો અપનાવે તો તેમને મહંત કેવી રીતે બનાવી શકાય, તો તેમણે કહ્યું કે, “એવું નથી. આમાંના ઘણા વિદેશીઓ આપણા કરતા સારા છે. જ્યારે તેઓ ધ્યાનમાં જાય છે ત્યારે તેઓ તેમાં લીન થઈ જાય છે. અમે જોયું છે કે ઘણા ભારતીયો મચ્છર કરડવાથી પરેશાન થઈ જાય છે અને ધ્યાન કરતી વખતે ઊંઘ આવવા લાગે છે. જ્યારે ટોમના કિસ્સામાં અમે જોયું કે તે લાંબા સમય સુધી ધ્યાન કરી શકે છે.”


'ઘણા મુસ્લિમો સનાતન ધર્મ અપનાવીને સાધુ બનવા માગે છે'

'ઘણા મુસ્લિમો સનાતન ધર્મ અપનાવીને સાધુ બનવા માગે છે'

2019ના કુંભ બાદ નિરંજની અખાડા દ્વારા કેટલા મહામંડલેશ્વરો બનાવવામાં આવ્યા તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું, “મને લાગે છે કે અમે અત્યાર સુધીમાં 30 મહામંડલેશ્વરો બનાવ્યા છે. ટોમ અમેરિકા અને મલેશિયા જેવા દેશોના 5-6 વિદેશીઓમાથી એક છે. વિવિધ ધર્મોમાં માનનારા ઘણા વિદેશીઓ સમગ્ર વિશ્વમાં સનાતનથી પ્રેરિત છે અને તેથી જ તેઓ સનાતન ધર્મ અપનાવી રહ્યા છે અને તેઓ તેમના મૂળમાં પાછા ફર્યા હોવાનું અનુભવે છે. ઘણા મુસ્લિમો પણ છે, જેમાંથી લગભગ 100 લોકોએ મારો સંપર્ક કર્યો છે અને તેઓ સનાતન ધર્મ અપનાવીને સંન્યાસી બનવા માગે છે. મને બિન-હિન્દુઓ તરફથી સેંકડો ફોન આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top