હિન્દુ ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા કન્નડ અભિનેતાની ધરપકડ, કરી હતી આ વિવાદીત ટ્વિટ
કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમાર ફિલ્મ ઉદ્યોગમાં એક જાણીતું નામ છે. આ દરમિયાન ચેતન કુમાર વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચેતન કુમારને હિંદુ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બેંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે ચેતન કુમારે પોતાના ટ્વીટમાં હિંદુ ધર્મના અસ્તિત્વને જુઠ્ઠું ગણાવવાની વાત કરી છે.
20 માર્ચના રોજ ચેતન કુમારે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હિન્દુ ધર્મને લઈને એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે. ચેતને તેના ટ્વીટમાં તે પાસાઓ તરફ ધ્યાન દોર્યું છે. જેના કારણે તે હિન્દુત્વને જુઠ્ઠાણા પર આધારિત હોવાનો દાવો કરી રહ્યો છે. આ ટ્વીટમાં ચેતન કુમારે લખ્યું કે- હિન્દુત્વ સંપૂર્ણ જૂઠાણા પર બનેલું છે. સાવરકર – ભારતીય રાષ્ટ્રની શરૂઆત જ્યારે રામ રાવણને હરાવીને અયોધ્યા પાછા ફર્યા – અસત્ય, 1992 બાબરી મસ્જિદ રામજન્મભૂમિ છે – એક જૂઠ, 2023 ઉરીગોડા-નાંજેગૌડા ટીપુના હત્યારા છે – અસત્ય, હિન્દુત્વને સત્યથી હરાવી શકાય છે હા- સત્ય સમાનતા છે. હિન્દુ ધર્મ વિરુદ્ધના આ વિવાદાસ્પદ શબ્દોના કારણે હવે કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની મંગળવારે બેંગલુરુની શેષાદ્રિપુરમ પોલીસે ધરપકડ કરી છે.
આ પહેલીવાર નથી જ્યારે કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હોય. આ પહેલા પણ ચેતન કુમાર હિંદુ ધર્મને લઈને પોતાના વાહિયાત નિવેદનોને કારણે હેડલાઈન્સમાં રહ્યા હતા. હાલમાં ચેતન કુમારના આ ટ્વીટનો હિન્દુ સંગઠન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે બજરંગ દળના નેતાએ ચેતન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે ચેતન પહેલાથી જ આવા જ વિવાદમાં જામીન પર બહાર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp