બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સાર્વજનિક રૂપે નમાજ પઢવાને લઈને વિવાદ; જુઓ વીડિયો
બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક જૂથે જાહેરમાં નમાઝ પઢતા લોકોના વિવાદ ઉભો થઈ ગયો છે. ટર્મિનલ 2 પર નમાઝ પઢતા લોકોના એક જૂથનો એક વીડિયો સામે આવ્યો છે, જેનાથી પ્રશ્નો ઉભા થયા છે. વીડિયોમાં સુરક્ષા કર્મચારીઓ પણ જોવા મળે છે, પરંતુ તેઓ ચૂપચાપ ઉભા છે.
વીડિયો સામે આવ્યા બાદ ભાજપે વિરોધ કર્યો છે. અહેવાલો અનુસાર, એરપોર્ટની અંદર મુસાફરો માટે પ્રાર્થના ખંડ હતો, પરંતુ નમાઝ બહાર પઢવામાં આવી હતી. આ નમાઝ એ લોકોના જુથ દ્વારા પઢવામાં આવી, જે મક્કા જતા લોકોને વિદાય આપવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા.
How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?Why is it… pic.twitter.com/iwWK2rYWZa — Vijay Prasad (@vijayrpbjp) November 9, 2025
How is this even allowed inside the T2 Terminal of Bengaluru International Airport?Hon’ble Chief Minister @siddaramaiah and Minister @PriyankKharge do you approve of this?Did these individuals obtain prior permission to offer Namaz in a high-security airport zone?Why is it… pic.twitter.com/iwWK2rYWZa
ભાજપના પ્રવક્તા વિજય પ્રસાદે X પર પોતાનો વિરોધ વ્યક્ત કરતા પોસ્ટ કરી. તેમણે કહ્યું કે, ‘બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના T2 ટર્મિનલની અંદર આ કેવી રીતે મંજૂરી આપી શકાય? મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને મંત્રી પ્રિયંક ખડગે, શું તમે તેને સ્વીકારો છો? શું આ લોકોએ ઉચ્ચ સુરક્ષાવાળા એરપોર્ટ વિસ્તારમાં નમાઝ પઢવા માટે પૂર્વ પરવાનગી મેળવી હતી? જ્યારે RSS સંબંધિત અધિકારીઓ પાસેથી યોગ્ય પરવાનગી મેળવ્યા બાદ પથ સંચાલન કરે છે ત્યારે સરકાર વાંધો ઉઠાવે છે, પરંતુ પ્રતિબંધિત જાહેર વિસ્તારમાં આવી પ્રવૃત્તિઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે? શું આટલા સંવેદનશીલ વિસ્તારમાં આ ગંભીર સુરક્ષા ચિંતાનો વિષયા નથી?’
જાહેર સ્થળોએ નમાઝ પઢવા અંગેનો વિવાદ મુખ્યત્વે ધાર્મિક સ્વતંત્રતા, જાહેર વ્યવસ્થા અને રાજકીય પક્ષપાતની આસપાસ ફરે છે. આ મુદ્દો સમય-સમય પર ઉદ્ભવે છે, ખાસ કરીને જ્યારે રસ્તાઓ, ઉદ્યાનો, એરપોર્ટ અથવા સરકારી ઇમારતો જેવા સ્થળોએ નમાઝ પઢવામાં આવે છે ત્યારે. ભાજપે તાજેતરની ઘટનાનો એટલે પણ વિરોધ કર્યો હતો કારણ કે ભાજપનું કહેવું છે કે, RSSની મંજૂરીવાળી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, પરંતુ નમાઝ પર મૌન સાધી લેવામાં આવે છે આવું કેમ? ભાજપના નેતાઓનું કહેવું છે કે ‘હાઇ સિક્યોરિટી ઝોન’માં નમાઝ પઢવાની મંજૂરી કેટલી હદે વાજબી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp