'આજે જીવન ધન્ય થઇ ગયું...', રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ પર CM યોગી ભાવુક, કહી દિલની વાત
અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર ગતિએ ચાલી રહ્યું છે. શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. સીએમ યોગીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે આજે જીવન ધન્ય બની ગયું છે. મન પ્રસન્ન છે. CM ભાવુક જોવા મળ્યાલ છે. ટ્રસ્ટના અધિકારીઓ આમંત્રણ આપવા લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સીએમ યોગીએ ફોટો શેર કરી લખ્યું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લા સરકારના નેતૃત્વમાં બાલરૂપ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યો છે. આભાર જ્ય જય સીતારામ.
आज जीवन धन्य हो गया है। मन आह्लादित है।श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के सम्मानित पदाधिकारी स्वामी गोविन्ददेव गिरि जी महाराज, श्री चम्पत राय जी एवं श्री राजेंद्र पंकज जी ने श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के नूतन बालरूप विग्रह की प्राण-प्रतिष्ठा… pic.twitter.com/qMnLv0aGqj — Yogi Adityanath (@myogiadityanath) November 10, 2023
आज जीवन धन्य हो गया है। मन आह्लादित है।श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के सम्मानित पदाधिकारी स्वामी गोविन्ददेव गिरि जी महाराज, श्री चम्पत राय जी एवं श्री राजेंद्र पंकज जी ने श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के नूतन बालरूप विग्रह की प्राण-प्रतिष्ठा… pic.twitter.com/qMnLv0aGqj
આ સાથે સીએમ યોગીએ એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું છે કે, ભગવાન શ્રી રામની અપાર કરુણા, આદરણીય સંતો અને દાદાગુરુ બ્રહ્મલિન મહંત દિગ્વિજયનાથજી મહારાજ અને આદરણીય ગુરુદેવ બ્રહ્મલિન મહંત અવેદ્યનાથજી મહારાજના આશીર્વાદ, આદરણીય અશોક સિંઘલજી અને રામ ભક્તોનો સદીઓથી ચાલતો સતત સંઘર્ષ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની સફળતા છે. આપણે બધા અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની બાળરૂપ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા જોવા મળશે. હું આભારી છું, ખુશ છું, ઉત્સાહિત છુ, રામમય છું.
22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે જેમાં પીએમ મોદી ભાગ લેશે. રામ મંદિર તીર્થ ટ્રસ્ટે પીએમ મોદીને આમંત્રણ મોકલ્યું હતું. જેને વડાપ્રધાને સ્વીકારી લીધું છે. પીએમ મોદી પણ ભાવુક દેખાયા છે શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ મળ્યા બાદ પીએમ મોદી પણ ભાવુક દેખાયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આજનો દિવસ લાગણીઓથી ભરેલો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ મને મારા નિવાસસ્થાને મળવા આવ્યા હતા તેઓએ મને શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અયોધ્યા આવવાનું કહ્યું હતું. હું ખૂબ જ ધન્ય.તા અનુભવું છું એ મારું સૌભાગ્ય છે કે મારા જીવનકાળમાં હું આ પ્રસંગનો સાક્ષી બનીશ.
जय सियाराम!आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn — Narendra Modi (@narendramodi) October 25, 2023
जय सियाराम!आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है। मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn
શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા સરકારના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક ક્ષણ પર 4000 આદરણીય સંતો અને 2500 પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેશે. આ સિવાય ઘણા ખાસ મહેમાનો પણ સામેલ થશે. વૈજ્ઞાનિકો, કલાકારોની જેમ પરમવીર ચક્રથી સન્માનિત પરિવારો, શહીદ કારસેવકોના પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp