શું તમે જાણો છો કૂતરાઓના કરડવાથી દર વર્ષે કેટલાક લોકોના થાય છે મોત?
ગ્લોબલ લેવલ પર રેબીજ એક ખતરનાક બીમારી છે. દર વર્ષે તેનાથી 15 મિલિયન લોકો રેબીજ પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ (PEP|)ના શિકાર થાય છે. ભારતમાં 20 હજાર મોત માત્ર હડકાયેલા કૂતરાઓ દ્વારા કરડવાથી થાય છે. તો ભારતમાં 95 ટકાથી પણ વધારે મોત થાય છે. રેબીજથી થનારા મોતોનો આ આંકડો ભારતીય પશુ ચિકિત્સા અનુસંધાન (IVRI) બરેલીએ જાહેર કર્યો છે.
નેશનલ ગાઈડલાઇન્સ મુજબ જો હડકાયેલું કૂતરું કરડે તો એ ઘાને હાથથી જરાય ટચ ન કરો. તેને ચોખ્ખા પાણીથી ધોવું કે પાણીની સીધી ધારથી ધોવો. જે જગ્યાએ કૂતરું કરડ્યું હોય, તેને જરાય કવર ન કરો, તે વધારે ખતરનાક હોય શકે છે. આ દરમિયાન મસાલેદાર ખાવાનું ન ખાવ. જો તમે સાદું ખાવાનું ખાશો તો જલદી રિકવર કરશો. કૂતરા દ્વારા કરડવા પર મસાલેદાર ભોજન, જંક, અથાણું, પાપડ બિલકુલ પણ ન ખાવ, તેનાથી દર્દીની તબિયત વધારે ખરાબ થઈ જાય છે. ડૉકટરો મુજબ, કૂતરા દ્વારા કરડવા પર દર્દીને મટન કે ચિકન વગેરે નોનવેજ ન ખાવા દો. નોંધનીય છે કે હડકાયેલું કૂતરું કરડે તો રેબીજનું ઇન્જેક્શન લેવું જરૂરી છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp