લાખો સૂરતીઓ પૂરગ્રસ્ત, સુરત મનપાએ ખાડી ખાતે ખર્ચેલા નાણા વરસાદના પાણીમાં ધોવાઈ ગયા ... 40 કરોડ

લાખો સૂરતીઓ પૂરગ્રસ્ત, સુરત મનપાએ ખાડી ખાતે ખર્ચેલા નાણા વરસાદના પાણીમાં ધોવાઈ ગયા ... 40 કરોડ રૂપિયા ખાડીપૂરમાં ગરકાવ

06/25/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

લાખો સૂરતીઓ પૂરગ્રસ્ત, સુરત મનપાએ ખાડી ખાતે ખર્ચેલા નાણા વરસાદના પાણીમાં ધોવાઈ ગયા ... 40 કરોડ

સુરતમાં ચોમાસાના વરસાદી પાણી હજી ઓસર્યા નથી. સરથાણા, પર્વતગામ સહિતના અનેક વિસ્તારોમાં હજુ કેડસમા પાણી યથાવત. આ સામે હવામાન ખાતું તો ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે અને હજી વરસાદ તો વરસી જ રહ્યો છે તો આગળ શું થશે? લોકોની ચિંતામાં વધારો.

જ્યાં વરસાદી પાણીને લઈને સુરત ખાડીપૂરમાં ડૂબી રહ્યું છે,  ત્યાં  સ્માર્ટ સિટીના સત્તાધીશો પાસે હાલ કોઈ સમાધાન છે કે નહી તે પણ એક સવાલ છે. દર વર્ષે વરસાદી પાણીના યોગ્ય નિકાલનું કોઈ કાયમી સોલ્યુશન ક્યારે આવશે તે બીજો સવાલ છે. સતત સાતમા વર્ષે ખાડીપૂર, ખાડીના ડ્રેજિંગ પાછળ ખર્ચેલા 40 કરોડ પાણીમાં ગયા છે.


મનપા પાસે સમાધાન છે? 150 કરોડ ખર્ચે તાજેતરમાં લોકાર્પણ કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કમાં ખાડીના પાણી ફરી વળ્યાં

મનપા પાસે સમાધાન છે? 150 કરોડ ખર્ચે તાજેતરમાં લોકાર્પણ કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કમાં ખાડીના પાણી ફરી વળ્યાં

સુરત મહાનગરપાલિકાએ ગયા વર્ષે સાઉથ એશિયાનું સૌથી મોટું અર્બન ફોરેસ્ટ ખાડી નજીક બનાવ્યું હતું. સુરતના ખાડીની બંને બાજુની જમીનનો કાયાકલ્પ કરી શહેરના ‘ ગ્રીન લંગ્સ’ તરીકે ઓળખાતા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના વિકાસની શૂરઆત કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ખાડીઓમાં જે વરસાદી પાણીનો સંગ્રહ થાય છે તે પાણીનો પુનઃઉપયોગ બાગકામ માટે થઇ શકશે. તેમજ ફાયટોરેમિડેશન ટેકનીક દ્વારા ખાડીનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદરૂપ થશે. ખાડીની દુર્ગંધ દૂર કરવી અને ખાડીના જળ પ્રદૂષણમાં ઘટાડો કરવો પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં સામેલ હતાં. પાર્કમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેનો ઉપયોગ તળાવો ભરવા અને અન્ય ઉપયોગી હેતુઓ માટે થશે. જેવા અનેક કારણો સુરત પાલિકાએ આપ્યા હતા. જો કે 150 કરોડ ખર્ચે તાજેતરમાં લોકાર્પણ કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કમાં ખાડીના પાણી ફરી વળ્યાં હતાં, જેથી વોકિંગ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક, વિવિધ પ્લાન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. એટલે કે, સુરત પાલિકાનું તમામ આયોજન ફેલ ગયું છે.


સુરત મનપાએ ખર્ચેલા નાણા વરસાદના પાણીમાં ધોવાઈ ગયા

સુરત મનપાએ ખર્ચેલા નાણા વરસાદના પાણીમાં ધોવાઈ ગયા

સુરતમાં ખાડી પૂરને અટકાવવા માટે લગભગ ૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ લિંબાયત, વરાછા, સરથાણા, અઠવા ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં જે રીતે પાણી ફરી વળ્યા હતાં, તેમજ સુરતમાં ભારે વરસાદે સીમાડા ખાડી ઓવર ફ્લો થઈ ગઈ છે તે જોઈને એવું કહી શકાય કે ખર્ચેલા આ નાણા વરસાદના પાણીમાં ધોવાઈ ગયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top