Jagannaths Rath Yatra 2025: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં 3 ગજરાજ ભીડ જોઈને બન્યા બેકાબૂ, મચી

Jagannaths Rath Yatra 2025: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં 3 ગજરાજ ભીડ જોઈને બન્યા બેકાબૂ, મચી અફરાતફરી; જુઓ વીડિયો

06/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Jagannaths Rath Yatra 2025: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રામાં 3 ગજરાજ ભીડ જોઈને બન્યા બેકાબૂ, મચી

Jagannaths Rath Yatra 2025: આજે અમદાવાદમા 148મી રથયાત્રા નીકળી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બળબદ્ર અને બહેન સુબદ્રા નગારચર્યાએ નીકળ્યા છે, ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે રસ્તાઓ પર ઉમટી પડે છે, જેથી તેઓ ભગવાનની એજ ઝલક જોઈ શકાય. પરંતુ આજે પહેલા જમાલપુર ગેટ પાસે ટ્રક ફસાઈ ગયા હતા, જેને ખૂબ જહેમત બાદ કાઢવામાં આવ્યા હતા. તો બીજી તરફ હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ભીડ જોઈને 3 ગજરાજ બેકાબૂ બનવી ગયા હતા.


3 ગજરાજ બેકાબૂ, રથયાત્રા હાલમાં રોકાઈ

3 ગજરાજ બેકાબૂ, રથયાત્રા હાલમાં રોકાઈ

એવા સમાચાર મળી રહ્યા છે કે ખાડિયા વિસ્તારમાં ભક્તોની ભારે ભીડ જોઈને 3 ગજરાજ બેકાબૂ થઈ ગયા હતા, જેના કારણે અફરાતફરીમચી જવા પામી હતી. ગજરાજો રસ્તા પર આમતેમ દોડતા જોવા મળ્યા હતા.

તંત્ર દ્વારા ગજરાજોને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. બાદમાં હાથીને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધા હતા. આ ઘટનાને કારણે ભકતોમાં ભય જોવા મળી રહ્યો છે. હાલ પૂરતી પોલીસ અને સ્વયંસેવકોને સીસોટી ન વગાડવા સૂચના આપવામાં આવી છે. જો કે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top