‘એક પણ પશુની કુર્બાની નહીં’, 99 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશે બકરા ઇદ પર લીધો મોટો નિર્ણય, જાણો કારણ
આ મહિનાની 6 અને 7 તારીખ ઈદ-અલ-અઝહા એટલે કે બકરી ઈદ મનાવવામાં આવશે. આ દિવસે ઈસ્લામના અનુયાયીઓ બકરી કે અન્ય કોઈ પશુની કુર્બાની આપે છે, જેના સંદર્ભમાં એક મુસ્લિમ દેશે મોટો નિર્ણય લીધો છે. 99 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઈસ્લામિક દેશ મોરોક્કોએ કુર્બાનીને લઈને કડક આદેશો આપ્યા છે કે કોઈ પણ નાગરિક ઈદ પર બકરી કે અન્ય કોઈ પશુની કુર્બાની નહીં આપે, ત્યારબાદ બકરીઓ શોધવા માટે દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
મોરોક્કોના રાજા મોહમ્મદ-છઠ્ઠાના શાહી ફરમાનથી લોકો ખૂબ નારાજ છે કારણ કે તેમના આદેશ બાદ, સુરક્ષા દળોએ ઘણા શહેરોમાં કુર્બાની રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇસ્લામમાં બકરી ઈદના દિવસે કુર્બાની આપવાનું ખૂબ મહત્ત્વ સમજવામાં આવે છે. તેનો હેતુ અલ્લાહના માર્ગમાં તમારી પ્રિય વસ્તુની કુર્બાની આપવાનું મહત્ત્વ સમજવાનો છે. બકરી ઈદ મુસ્લિમોને પોતાનું કર્તવ્ય નિભાવવા અને અલ્લાહમાં વિશ્વાસ રાખવાનો સંદેશ આપે છે.
મોરોક્કોના રાજાએ કુર્બાની પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગંભીર દુષ્કાળને કારણે પ્રાણીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લીધો છે. રાજાએ કહ્યું છે કે આ અઠવાડિયે આવનારા બકરી ઈદના તહેવાર પર લોકો ઈબાદત અને દાન કરીને ઉજવે અને કુર્બાનીથી બચે. રાજાના આ નિર્ણય બાદ, અધિકારીઓએ પશુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ગુપ્ત રીતે બલિદાન માટે લાવવામાં આવેલા ઘેટાં ઘરોમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ પગલાંથી લોકો ખૂબ નારાજ છે અને વિરોધમાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
મુસ્લિમ વર્લ્ડે પણ મોહમ્મદ છઠ્ઠાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને એક ખતરનાક ઉદાહરણ ગણાવ્યું છે. તેમનું એમ પણ કહે છે કે સરકાર ધાર્મિક રીત-રિવાજોમાં દખલઅંદાજ કરી રહી છે. જો કે, કેટલાક લોકો સરકારના નિર્ણય સાથે સહમત છે અને આર્થિક અને આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણયનો બચાવ કરી રહ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp