‘20 નહીં, ભારતે આટલા વિસ્તાર કર્યા તબાહ’. ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનના ડોઝિયરમાં મોટું કબૂલનામુ

‘20 નહીં, ભારતે આટલા વિસ્તાર કર્યા તબાહ’. ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનના ડોઝિયરમાં મોટું કબૂલનામું

06/03/2025 World

SidhiKhabar

SidhiKhabar

‘20 નહીં, ભારતે આટલા વિસ્તાર કર્યા તબાહ’. ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનના ડોઝિયરમાં મોટું કબૂલનામુ

ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ખૂબ પ્રશંસા થઈ. આ દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યૂપાઈડ કાશ્મીર (PoK)માં ઘણા આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દીધા હતી. હવે પાકિસ્તાનના ડોઝિયરમાં ઓપરેશન સિંદૂરને લઈને એક મોટો ખુલાસો થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સેનાએ જે કહ્યું છે, પાકિસ્તાનને તેના કરતા વધુ નુકસાન થયું છે.

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન માત્ર આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ ત્યરબાદ પાકિસ્તાની સેનાએ મોરચો ખોલી દીધો. તેણે ડ્રોન અને મિસાઇલો દ્વારા ભારતના ઘણા શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. તેણે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનના ઘણા એરબેઝ તબાહ કરી દીધા. પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને ભારે નુકસાન થયું.


પાકિસ્તાનના ઘણા એરબેઝ તબાહ થયા

પાકિસ્તાનના ઘણા એરબેઝ તબાહ થયા

ભારતે પાકિસ્તાનના ઘણા લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તેણે નૂર ખાન, રફીકી, મુરીદકે, સુકરુર, સિયાલકોટ, પસરુર, ચુનિયાન અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર જવાબી કાર્યવાહી કરી હતી. તાજેતરમાં મેક્સર ટેક્નોલોજીએ સેટેલાઇટ તસવીરો જાહેર કરી હતી. તેના દ્વારા, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને થયેલા નુકસાનનો ખુલાસો થયો હતો.

ભારતે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના તાલીમ કેન્દ્ર સહિત 9 સ્થળો પર કાર્યવાહી કરી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ દરમિયાન, 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાની એન્ટ્રી બાદ  ઓપરેશને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


ભારતે 20 નહીં, 28 સ્થળોને નિશાન બનાવ્યા હતા

ભારતે 20 નહીં, 28 સ્થળોને નિશાન બનાવ્યા હતા

ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાન અત્યાર સુધી ઘણી વખત ખોટું ખોટું બોલ્યું છે, પરંતુ તેના ડોઝિયરે જુઠ્ઠાણાને ખુલ્લું પાડી દીધું છે. પાકિસ્તાનના ડોઝિયરથી ખુલાસો થયો છે કે ભારતે અંદર સુધી જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં 20 નહીં, પરંતુ 28 સ્થળોએ હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન પાકિસ્તાનમાં જવાબી કાર્યવાહીની જગ્યાઓનો ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ ડોઝિયરમાં આ વાત પણ જાહેર કરવામાં આવી છે. પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, ભાવલનગર અને છોર સહિત અનેક સ્થળોએ નુકસાન થયું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top