ભારતીયો માટે આ દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી સસ્પેન્ડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી વાંચીને પ્લાન કરજો
ભારતથી ઈરાન જતા લોકોને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાને ભારતીયો માટે ફ્રી વિઝને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ માહિતી વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો હવે ઈરાન ફ્રી વિઝા મુસાફરી કરી શકશે નહીં. આ નિયમ 22 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.
ભારતીય નાગરિકો માટે ઈરાન જવા માટે વિઝા હવે ઉપલબ્ધ રહેશે નહીં. ઈરાને ફ્રી વિઝા સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય ભારતીયોની સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભારતીય નાગરિકોને રોજગારના ખોટા વચનો અને અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાના વચનો આપીને ઈરાનમાં લલચાવીને લાવવામાં આવ્યા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઉપલબ્ધ વિઝા મુક્તિનો લાભ લઈને તેમને ઈરાન મુસાફરી કરવા માટે લલચાવી દેવામાં આવે છે.
ઈરાનમાં પહોંચ્યા બાદ ઘણા લોકોનું ખંડણી માટે અપહરણ કરવામાં આવે છે. ઈરાને આવી તસ્કરી અટકાવવા માટે આ નિર્ણય લીધો છે. આનાથી સામાન્ય નાગરિકો ઈરાન મુસાફરી કરીને મુશ્કેલીમાં મુકાતા બચશે. આ વિઝા છૂટ 22 નવેમ્બર, 2025 થી ખતમ કરી દેવામાં આવશે.
સામાન્ય પાસપોર્ટ ધરાવતા ભારતીય નાગરિકોને 22 નવેમ્બરથી ફ્રી વિઝાનો લાભ નહીં મળે. હવેથી, ભારતીય નાગરિકોને ઈરાન અથવા અન્ય કોઈપણ સ્થળની મુસાફરી માટે વિઝા મેળવવાની જરૂર પડશે. નાગરિકોને એવી પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ એવા એજન્ટોથી સાવધ રહે જે તેમને આગળની મુસાફરીના વચનો આપીને લલચાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp