ગુજરાતથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા 4 ગુજરાતીઓનું આ દેશમાં કરી લેવાયું હતું અપહરણ, સરકારની મદદ ફળી

ગુજરાતથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા 4 ગુજરાતીઓનું આ દેશમાં કરી લેવાયું હતું અપહરણ, સરકારની મદદ ફળી

10/28/2025 World

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતથી ઓસ્ટ્રેલિયા જઈ રહેલા 4 ગુજરાતીઓનું આ દેશમાં કરી લેવાયું હતું અપહરણ, સરકારની મદદ ફળી

ગુજરાતથી દિલ્હી થઈને ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ચાર ગુજરાતીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઈરાનના તેહરાનમાં એક મહિલા સહિત 3 પુરુષોને બંધક બનાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, અપહરણકારોએ તેમને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ અને પરિવારને મોકલીને તેમને ત્રાસ આપવાનો વીડિયો મોકલીને કરોડો રૂપિયાની ખંડણી માગી હતી. આ ઘટનાના ખુલાસા બાદ, માણસાના ભાજપ ધારાસભ્ય જયંતિ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે મદદ માગી હતી. પોતાના પત્રમાં આ ઘટનાનું વર્ણન કરતા ધારાસભ્યએ લખ્યું કે, મહિલા સહિત 3 પુરુષો માણસાના બાપુપુરા ગામના રહેવાસી છે. ચારેય જણા દિલ્હીથી અમીરાતની ફ્લાઇટમાં રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે માણસા કેન્દ્રીય ગૃહમંત્રીનો ગૃહજિલ્લો છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

IM ગુજરાતના અહેવાલ મુજબ, માણસાના બાપુપુરા અને બડપુરા ગામના આ ચાર ગુજરાતીઓને પહેલા દિલ્હી, ત્યાંથી બેંગકોક અને દુબઈ અને પછી તેહરાન લઈ જવામાં આવ્યા હતા. ઈરાન પહોંચ્યા બાદ તેમને ટેક્સીમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બંધક બનાવવામાં આવ્યા. ઈરાનમાં આ ગુજરાતીઓને ક્રૂર રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, બે યુવાનોને નગ્ન કરીને માર મારવામાં આવ્યા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ વિડીયો ક્લિપ્સ એટલી ભયાનક છે કે તેમને બતાવી શકાય તેમ નથી.


હાથ-પગ બાંધીને માર મરાયો

હાથ-પગ બાંધીને માર મરાયો

ઈરાનમાં સામે આવેલા આ ત્રાસના એક વીડિયોમાં, બે યુવાનોને હાથ-પગ બાંધીને માર મારવામાં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે આ વીડિયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને ખંડણી માટે મોકલવામાં આવ્યો હતો. જે લોકોને માર મરવામાં આવ્યો, તેઓ પણ અપહરણકારોની માગણીઓનું માનવાનું કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેઓ હવે સહન કરી શકતા નથી. આ બે વીડિયો ઉપરાંત, અપહરણકારોએ એક દંપતીનો હાથ બાંધીને અને મોં બંધ કરીને રાખેલા ફોટા પણ ફરતા કર્યા છે.

તેહરાન એરપોર્ટ પર ઉતર્યા બાદ આ લોકોને હેલી નામની હોટલમાં લઈ જવામાં આવ્યા. એવી પણ ચર્ચા થઈ રહી છે કે બાબા નામના વ્યક્તિએ ઈરાનમાં તેમનું અપહરણ કર્યું હતું. આ અંગે વાત કરતા માણસાના બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ જણાવ્યું કે અપહરણ કરાયેલા ત્રણ લોકો બાપુપુરાના અને એક બડપુરાના હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમને 3 દિવસ અગાઉ તેમના અપહરણનો સંદેશ મળ્યો હતો. જોકે, આ લોકોને ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ વિશે કોઈ માહિતી મળી નથી. જુલાઈ 2023 માં ડોંકી રૂટ દ્વારા અમેરિકા જતા એક ગુજરાતી દંપતી સાથે આવી જ ઘટના બની હતી. તેમનું ઈરાનમાં પણ અપહરણ કરીને ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમના એજન્ટ પાસેથી મોટી રકમની માગણી પણ કરવામાં આવી હતી.

divyabhaskar.co.inના અહેવાલ મુજબ, ઈરાનમાં બંધક બનાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. આ અંગે માહિતી આપતા બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે બંધક બનાયેલા લોકો દોહા પહોંચ્યા છે. સરકારની મદદથી તેમનો છૂટકારો થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top