Jagannaths Rath Yatra 2025: ભગવાન જગન્નાથની રથયાત્રામાં વનતારા થીમ ધરાવતી ટ્રક જમાલપુર દરવાજાના ફસાઈ
Jagannaths Rath Yatra 2025:આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી રહી છે, આ પાવન અવસર પર મેઘરાજાના અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથ ભાઈ બળબદ્ર અને બહેન સુબદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે, જેના કારણે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. તેમજ ઉજ્જૈન, જગન્નાથપુરી, હરિદ્વાર, અયોધ્યા, નાસિક તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં આવ્યા છે.
દર વર્ષે જમાલપુર દરવાજાની બહારથી ટ્રકો પસાર થતી હતી, પરંતુ આ વર્ષે ટ્રકો જમાલપુર દરવાજાની અંદર થઈને પસાર થતી જોવા મળી હતી. 85 ટ્રકો જમાલપુર દરવાજામાંથી પસાર થઈ ગઈ હતી. ત્યારબાદ 2 કરતાં વધુ ટ્રકો જમાલપુર દરવાજામાં ફસાઈ ગઈ હતી, જેમાં માંડ-માંડ ટ્રકોને બહાર કાઢવામાં આવી હતી. રથયાત્રામાં કેટલીક ટ્રકોની ઊંચાઈ જમાલપુર દરવાજાને અડકે તેવી હતી. દરવાજા પર લગાવેલી લાઇટોના વાયરો પણ હટાવવા પડ્યા હતા. ટ્રકોમાં બેઠા લોકોએ નીચે નમવું પડ્યું હતું. તેમાથી એક ટ્રકમાં વનતારાની થીમવાળી હતી. શહેરીજનોને પોતાનું શહેર સ્વચ્છ રાખવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને 40 લાખ વૃક્ષો વાવવા અંગેનો સંદેશ આપતો ટેબલો સાથેનો ટ્રક રથયાત્રામાં જોડાયો છે.
જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને આજે અષાઢી બીજના રથયાત્રાના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી હવે મહામંડલેશ્વર ની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp