Jagannath Rath Yatra 2025: આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા, ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરીને રથયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, જુઓ વીડિયો
Jagannath Rath Yatra 2025: આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. આજે અષાઢી બીજાના ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળ્યા છે, હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગ લઈ રહ્યા છે. અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કરી. ભારે સિક્યોરિટી સાથે ગૃહ મંત્રી મંદિરે પહોંચી ભગવાન જગન્નાથની આરતી કરી હતી. મોટી સંખ્યામાં નિજ મંદિરે પહોંચેલા ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
દર વર્ષે ભગવાન જગન્નાથજીનો પ્રથમ રથ સવારે 7:10 વાગ્યે બહાર નીકળતો હોય છે, પરંતુ આ વર્ષે 6:56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો એટલે કે આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષ કરતા 10 મિનિટ વહેલી શરૂ કરી દેવામાં આવી છે. મેઘરાજા પણ જાણે ભગવાન જગન્નાથનું સ્વાગત કરતાં હોય તેમ અમી છાંટણા થઈ રહ્યા છે. વરસાદના અમી છાંટણા વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના અમી છાંટણાની સાથે રથયાત્રા શરૂ થઈ છે.
જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે ત્રણેય રથ જમાલપુર જગન્નાથ મંદિરથી બહાર નીકળી ગયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, ભાઈ બલરામ તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજી દેવદલન રથમાં બિરાજમાન છે. જય રણછોડ, માખણચોર'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી ચર્યા તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસ અને ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી છે. ભાવિકો ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુકુટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાયા છે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.
#WATCH | Gujarat CM Bhupendra Patel joins others to pull the chariot at Shree Jagannathji Mandir, Ahmedabad as the 148th #RathYatra of Lord Jagannath begins today. pic.twitter.com/F5Iw6w6IXA — ANI (@ANI) June 27, 2025
#WATCH | Gujarat CM Bhupendra Patel joins others to pull the chariot at Shree Jagannathji Mandir, Ahmedabad as the 148th #RathYatra of Lord Jagannath begins today. pic.twitter.com/F5Iw6w6IXA
સેટેલાઈટમાં રહેતા મીનાક્ષી રાજપારધી નામની મહિલા ઓપરેશન સિંદૂરની થીમ પર ભગવાનને રાફેલમાં સવાર થતા હોય તેવી વેશભૂષા સાથે રથયાત્રામાં આવ્યા છે. રથયાત્રાના દિવસે હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી મળી હતી. જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો ફૂલ અને હાર સાથે ભગવાન જગન્નાથનું સ્વાગત કરતા જોવા મળ્યા. આ હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક લોકોની આંખે વળગીને આવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp