Vice President Election: ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ કેટલા દિવસમાં કરાવવી પડે છે ચૂંટણી? ત્યાં સુધી કોણ સાંભળે છે આ પદ?
Jagdeep Dhankhar Resigns: સોમવારે મોડી સાંજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજીનામું આપવા પાછળ સ્વાસ્થ્યનું કારણ બતાવ્યું છે. ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી જ શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ બાદ આ ભારતમાં બીજું સૌથી મોટું બંધારણીય પદ છે. એવામાં એ જાણવું જરૂરી છે કે જો કોઈ ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપે છે, તો આગામી ચૂંટણી ક્યારે અને કેવી રીતે થાય છે? તેની પ્રક્રિયા શું છે અને નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી થાય ત્યાં સુધી આ પદ કોણ સંભાળે છે?
ભારતીય બંધારણ મુજબ, દેશનું ઉપરાષ્ટ્રપતિનું પદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ છે અને જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ તેની જવાબદારી સંભાળે છે. એટલું જ નહીં, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે.
ઉપરાષ્ટ્રપતિની પસંદગી સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોના સાંસદો દ્વારા કરવામાં આવે છે. એટલે કે, લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યો પણ આ ચૂંટણીમાં ભાગ લે છે. આ ચૂંટણી દરમિયાન, એક ખાસ પ્રકારનું મતદાન થાય છે, જેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ કહેવામાં આવે છે. આ દરમિયાન, મતદાતાએ માત્ર એક જ મત આપવાનો હોય છે, પરંતુ તેણે પોતાની પસંદગીના આધારે પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે.
નિયમો અનુસાર, જો દેશના ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપે છે અથવા કોઈ કારણોસર તેઓ પદ પર નથી રહેતા, તો પદની ખાલી જગ્યા ભરવા માટે તેમના રાજીનામાના 60 દિવસની અંદર ઔપચારિક ચૂંટણી કરાવવી જરૂરી છે. બંધારણના નિયમો અનુસાર, આ દરમિયાન રાજ્યસભાના ઉપાધ્યક્ષ ઉપલા ગૃહના કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળે છે. હાલમાં આ પદ હરિવંશ નારાયણ સિંહ પાસે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp