Mallikarjun Kharge on Shashi Tharoor: થરૂર પર પહેલી વખત ખૂલીને બોલ્યું કોંગ્રેસનું નેતૃત્વ, ખડગેએ આપ્યા આગળના સંકેત; જાણો ઇનસાઇડ સ્ટોરી
Mallikarjun Kharge on Shashi Tharoor: શશિ થરૂરનું શું થશે? કોંગ્રેસના ઘણા લોકો થરૂર પર આ સવાલ પૂછી રહ્યા છે. કોઇ તેમને ભાજપના પ્રવક્તા, તો કોઇ વિદેશ મંત્રી બનાવવાની વાત કરી રહ્યા હતા, કેટલાક તેમને પોતાના તથ્યો સુધારવાની સલાહ આપી રહ્યા હતા. પરંતુ, હવે મામલો કોંગ્રેસ અધ્યક્ષ સુધી પહોંચી ચૂક્યો છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને વારંવાર થરૂર બાબતે સવાલ પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે થરૂર પર પોતાનું મૌન તોડવું પડ્યું. ખડગેએ કહ્યું કે શશિ થરૂરનું અંગ્રેજી ખૂબ સારું છે, વાંચવામાં પરેશાની થાય છે. એટલે તેમને કાર્યસમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.
જ્યારે ખડગેને પૂછવામાં આવ્યું કે થરૂર સરકારની પ્રશંસા કરી રહ્યા છે, તો કોંગ્રેસ અધ્યક્ષનો જવાબ હતો કે અમે પહેલા જ કહ્યું છે કે આ દેશનો મામલો છે, અમે સેના અને સરકાર સાથે છીએ. જ્યારે ખડગેને પૂછવામાં આવ્યું કે થરૂર સરકારની પ્રશંસામાં લખી રહ્યા છે, ત્યારે જવાબ હતો કે જેમને જે લખવાનું આવડે છે તે લખશે. અમે તેમાં પોતાનું મગજ લગાવવા માગતા નથી. અમે શા માટે ડરીએ, તેઓ શું કહી રહ્યા છે... તેઓ પોતાની ઇચ્છા મુજબ બોલી રહ્યા છે. મારા માટે દેશનું હિત સર્વોપરી છે અને અમે તે મુજબ કામ કરી રહ્યા છીએ.
pic.twitter.com/dNkwZb721E — Shashi Tharoor (@ShashiTharoor) June 25, 2025
pic.twitter.com/dNkwZb721E
ખડગેના આ જવાબ બાદ થરૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે ઉડવા માટે કોઈની મંજૂરી લેવાની હોતી નથી, પાંખો તમારી પોતાની છે અને આકાશ કોઈનું નથી. તેનો અર્થ એ કે કોંગ્રેસ અને થરૂર વચ્ચે તલવારો ખેંચાઈ ચૂંકી છે.
હવે સવાલ એ છે કે થરૂરનું શું થશે? જો કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો, કોંગ્રેસ થરૂર સામે કોઈ કાર્યવાહી નહીં કરે, કારણ કે કોંગ્રેસ જાણે છે કે તેનાથી થરૂરને કોઈ ફરક નહીં પડે. તેમનું લોકસભા સભ્યપદ અકબંધ રહેશે અને પાર્ટી શિસ્તનું કોઈ દબાણ નહીં હોય અને ત્યારે તેઓ ખુલીને પાર્ટી વિરુદ્ધ બોલી પણ શકે છે. મંગળવારે કેરળમાં નીલામ્બુર વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ પણ ઉત્સાહિત છે, કારણ કે કોંગ્રેસે CPM પાસેથી આ બેઠક છીનવી લીધી છે અને થરૂરે અહીં પ્રચાર પણ કર્યો નહોતો, એટલે કે કોંગ્રેસ થરૂરની મદદ વિના જીતી ગઈ છે. કોંગ્રેસ એ પણ જાણે છે કે થરૂરનો ડંકો ભારત અને વિદેશમાં ભલે વાગતો હોય, પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં રાજીવ ચંદ્રશેખરે તેમને લગભગ હરાવી જ દીધા હતા. થરૂરે માત્ર 17 હજાર મતોથી જીત મેળવી હતી.
કોંગ્રેસ જાણે છે કે થરૂરને રાહુલ ગાંધીના ખૂબ નજીકના કેસી વેણુગોપાલ સાથે સમસ્યા છે. તેઓ પાર્ટીના સંગઠન મહાસચિવ છે અને જ્યારે કોંગ્રેસ અઘ્યક્ષને પ્રેસ કોન્ફરન્સમાં થરૂર બાબતે સવાલ પૂછવામાં આવી રહ્યા હતા, ત્યારે વેણુગોપાલ તેમની બાજુમાં જ બેઠા હતા. કોંગ્રેસ જાણે છે કે આગામી દિવસોમાં સરકાર થરૂરને વિદેશ બાબતોનું વધુ કામ આપી શકે છે, જે દેશ હિતમાં અને બિન-રાજકીય હોય. કોંગ્રેસ એજ દિવસની રાહ જોઈ રહી છે. હાલમાં, નિલામ્બુર પેટાચૂંટણીમાં જીત બાદ, ઉત્સાહિત કોંગ્રેસનું આગામી લક્ષ્ય આ વર્ષે થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp