Video: ‘દેશ સુરક્ષિત હાથોમાં છે...’, કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના પુત્રએ PM નરેન્દ્ર મોદીના કર્યા ભરપૂર વખાણ
કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. ‘ઓપરેશન સિંદૂર’ને સંભાળવા બદલ ફૈઝલ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી છે. કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, પાર્ટી ચલાવતા ટોચના નેતાઓને યોગ્ય સલાહ મળી રહી નથી.
ફૈઝલ પટેલે સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું કે, ‘સશસ્ત્ર દળોએ ખૂબ સારું કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને લઈને શાનદાર નેતૃત્વ બતાવ્યું છે અને આપણને એક મોટા સંકટમાંથી બહાર કાઢ્યા છે. આ ખૂબ મોટી વાત છે. મને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. મને જયશંકર જી પ્રત્યે મારા મનમાં ખૂબ સન્માન છે. મોદીજી જે રીતે નોકરશાહોની પસંદગી કરીને તેમને નેતા બનાવે છે અને તેમને મંત્રાલયોમાં નિયુક્ત કરે છે તે ખૂબ જ સારી વાત છે.’
#WATCH | Congress stalwart Ahmed Patel’s Son, Faisal Patel says, "... They are in their own world. Congress ki ek khud ki duniya chal rahi hai. They are directionless. Thats what BJP is all about. They just want to have full control and shut down every other political party..." pic.twitter.com/qS1wFLdkCE — ANI (@ANI) August 12, 2025
#WATCH | Congress stalwart Ahmed Patel’s Son, Faisal Patel says, "... They are in their own world. Congress ki ek khud ki duniya chal rahi hai. They are directionless. Thats what BJP is all about. They just want to have full control and shut down every other political party..." pic.twitter.com/qS1wFLdkCE
ફૈઝલ પટેલે કહ્યું કે, તેઓ અત્યારે પણ કોંગ્રેસમાં છે, પરંતુ પાર્ટી આંતરિક રીતે સમસ્યાઓનો સામનો કરી રહી છે. યોગ્ય અને વરિષ્ઠ નેતાઓની સલાહ પર ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી એક મહેનતુ નેતા છે. કોંગ્રેસમાં શશી થરૂર, ડી.કે. શિવકુમાર, રેવંત રેડ્ડી, દીપેન્દ્ર હુડા અને સચિન પાયલટ જેવા કેટલાક ખૂબ જ પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી નેતાઓ છે. તેઓ ખૂબ જ સક્ષમ નેતાઓ છે. આંતરિક રીતે સમસ્યાઓ છે અને મારું માનવું છે કે પાર્ટી ચલાવતા વરિષ્ઠ નેતાઓને યોગ્ય સલાહ આપવામાં આવતી નથી. તેમના સલાહકારો સારું કામ કરી રહ્યા નથી. તેઓ આવે છે અને જતા રહે છે. વરિષ્ઠ નેતાઓની સલાહ પર ધ્યાન આપવામાં આવતું નથી.’
પટેલે કહ્યું કે, ‘હું કોંગ્રેસથી બિલકુલ નારાજ નથી. આખી પાર્ટી મારો પરિવાર છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મારા સારા સંબંધો છે. હું અત્યારે પણ કોંગ્રેસ પાર્ટીમાં છું. મેં કોંગ્રેસ છોડી નથી. મેં માત્ર સાર્વજનિક જીવનમાંથી વિરામ લીધો છે. હું માત્ર કોંગ્રેસમાં છું. ગુજરાતના લોકો અને સ્થાનિક નેતાઓ મારી બાબતે ખૂબ સારી વાતો કહે છે.’
પટેલે કહ્યું કે દેશની સશસ્ત્ર દળોને કારણે ભારત સુરક્ષિત હાથોમાં છે. આપણા સશસ્ત્ર દળોના કારણે આપણો દેશ સુરક્ષિત હાથમાં છે. મને લાગે છે કે આ સમયે દેશ ચલાવનારા નેતાઓ, નરેન્દ્ર મોદી, ડૉ. એસ. જયશંકર, અમિત શાહ, રાજનાથ સિંહ અને સુધાંશુ ત્રિવેદી, સખત મહેનત કરી રહ્યા છે. આપણી પાસે મોંઘવારી, બેરોજગારી અને અન્ય સમસ્યાઓ છે, પરંતુ તેઓ સારું કામ કરી રહ્યા છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp