IPL 2025 અગાઉ CSK સેટઅપમાં આર. અશ્વિનની વાપસી, મળી આ મોટી જવાબદારી

IPL 2025 અગાઉ CSK સેટઅપમાં આર. અશ્વિનની વાપસી, મળી આ મોટી જવાબદારી

06/05/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2025 અગાઉ CSK સેટઅપમાં આર. અશ્વિનની વાપસી, મળી આ મોટી જવાબદારી

રવિચંદ્રન અશ્વિન જો IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSK માટે રમતો નજરે પડે તો ચોંકતા નહીં, કેમ કે અશ્વિને ફરીથી ઈન્ડિયા સિમેન્ટ્સને જોઇન્ટ કરી છે. આ પ્રકારે તેની વાપસી CSK સેટઅપ સાથે થઈ ગઈ છે. અશ્વિનને આ વાપસી સાથે એક મોટી જવાબદારી મળી છે. તે ચેન્નાઇના હાઇ પરફોર્મન્સ સેન્ટરનો હેડ બનવા જઇ રહ્યો છે. CSKનું આ હાઇ પરફોર્મન્સ સેન્ટર શહેરના બાહ્ય વિસ્તારમાં બની રહ્યું છે અને આગામી IPL સીઝનની શરૂઆત અગાઉ પૂરી રીતે તે ચાલુ થવાની સંભાવના છે.


આ વર્ષના અંતમાં મેગા ઓક્શન

આ વર્ષના અંતમાં મેગા ઓક્શન

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, આ ટ્રાન્સફર મૂવનો અર્થ એ વાતની પ્રબળ સંભાવના છે કે અશ્વિન આ વર્ષના અંતમાં થનાર મેગા ઓક્શનમાં CSK સાથે જોડાઈ શકે છે. જો કે, આ એક મોટી હરાજી છે એટલે CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રેડ ઓફની સંભાવના પૂરી થઈ ગઈ છે કેમ કે કદાચ રાજસ્થાન અશ્વિનને રિટેન નહીં કરી શકે. તેની પાછળનું કારણ એ છે કે માત્ર 3+1 ખેલાડીને જ રિટેન કરવાની મંજૂરી મળવાની સંભાવના છે, જેમાં એક ખેલાડી RTMના માધ્યમથી પોતાની સાથે જોડી શકાય છે.


CSKના CEO કાશી વિશ્વનાથ શું બોલ્યા

CSKના CEO કાશી વિશ્વનાથ શું બોલ્યા

જો CSK ઓક્શનમાં અશ્વિનને ખરીદી શકતી નથી તો તેની પાસે એકમાત્ર અન્ય સંભાવના એ છે કે તે ઓક્શન બાદ તેને ટ્રેડ કરે. CSKના CEO કાશી વિશ્વનાથે કહ્યું કે, પૂરી રીતે ઓક્શનની ગતિશીલતા પર નિર્ભર કરે છે કેમ કે અમે તેના પર નિયંત્રણ રાખી શકતા નથી. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે શું અવસર પોતે જ સામે આવે છે. સૌથી પહેલા અશ્વિન અમારા હાઇ પરફોર્મન્સની જવાબદારી સંભાળશે અને તેના ક્રિકેટ સંબંધિત કામોને સંભાળશે. જેમાં કાર્યક્રમ અને બાકી બધુ સામેલ છે. તેમણે પુષ્ટિ કરતાં જણાવ્યું કે, અમે તેને પાછો સાઇન કરી લીધો છે. તે હવે CSK વેન્ચરનો હિસ્સો છે અને TNCA ફર્સ્ટ ડિવિઝનમાં ઈન્ડિયા સિમેન્ટ્સ ટીમ માટે પણ રમશે.


એન. શ્રીનિવાસને કર્યા હતા અશ્વિનના વખાણ

એન. શ્રીનિવાસને કર્યા હતા અશ્વિનના વખાણ

છેલ્લા કેટલાક વર્ષોથી અશ્વિનના ઈન્ડિયા સિમેન્ટ્સમાં જવાની વાત ચાલી રહી હતી. અહી સુધી કે, IPL 2024થી બરાબર પહેલા અશ્વિનની 100મી ટેસ્ટ અને 500 વિકેટ પૂરી કરવાના ઉપાલક્ષ્યમાં ઈન્ડિયા સિમેન્ટ્સે એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં ઈન્ડિયા સિમેન્ટ્સના માલિક એન. શ્રીનિવાસને ભારતીય ક્રિકેટર્ન ભરપૂર વખાણ કર્યા હતા. આ HPCમાં ચન્નાઈ, જોહાનિસબર્ગ અને ટેક્સાસના ખેલાડી હિસ્સો લઈ શકે છે.


શું બોલ્યો અશ્વિન:

શું બોલ્યો અશ્વિન:

અશ્વિને કહ્યું કે, રમતને આગળ વધારવી અને ક્રિકેટ જગતમાં યોગદાન આપવું મારું પ્રાથમિક લક્ષ્ય છે. ઓલરાઉન્ડર આગામી અઠવાડિયામાં ઔપચારિકતાઓ પૂરી કરશે જ્યારે તે નાના બ્રેકથી પાછો આવશે. અશ્વિન વર્ષ 2008 થી વર્ષ 2015 સુધી CSK માટે રમી ચૂક્યો છે અને વર્ષ 2009 અને વર્ષ 2010માં જે પ્રકારે પ્રદર્શન તેણે ટીમ માટે કર્યું હતું તેનાથી તેને ભારતીય ટીમમાં આવવાનો અવસર મળ્યો હતો. અશ્વિન ત્યારબાદ પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમી ચૂક્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top