SBIએ બદલી દીધા ATM વિડ્રોલના નિયમો, હવે આટલો ચાર્જ લાગશે, ફ્રી લિમિટ પણ બદલાઈ
SBI ATM Transaction Rules: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ATMમાંથી ઉપાડની મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કે ATM ચાર્જના માળખાને સરળ બનાવવા અને ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ ફેરફાર કર્યો છે, જેનાથી SBI અને અન્ય બેંકના ATM પર ફાઇનાન્શિયલ અને નોનો-ફાઇનાન્શિયલ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે. આ નિયમ 1 ફેબ્રુઆરી, 2025થી અમલી માનવામાં આવશે.
SBIએ પોતાના અને અન્ય બેન્કોના ATMમાંથી પૈસા ઉપાડવાની મર્યાદામાં ફેરફાર કર્યો છે. આ ઉપરાંત, ખાતામાં માસિક સરેરાશ રકમ જાળવી રાખવા પર લિમિટની પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ નિયમ SBIના બધા ગ્રાહકોને લાગૂ પડશે. હવે, ગ્રાહકોને SBI ATMમાંથી દર મહિને માત્ર 5 ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના ATMમાંથી દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે.
જો બચત ખાતાધારક સરેરાશ માસિક બેલેન્સ 25,000 થી 50,000 રૂપિયા વચ્ચે રાખે છે, તો તેને અન્ય બેંકના ATMમાંથી 5 મફત ટ્રાન્ઝેક્શન મર્યાદાની સુવિધા મળશે. જો કોઈ વ્યક્તિ 1,00,000 રૂપિયા સુધીનું બેલેન્સ જાળવી રાખે છે, તો તેને SBI અને અન્ય બેંકના ATMમાંથી અમર્યાદિત મફત વ્યવહારોની સુવિધા મળશે.
ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની માસિક મર્યાદા પાર કર્યા પછી, SBI ATM પર પર પ્રતિ વ્યવહાર 15 રૂપિયા + GST વસૂલશે, પછી ભલે તે કોઈ પણ સ્થાન પર હોય. અન્ય બેંકોના ATM પર વ્યવહારો માટે, પ્રતિ વ્યવહાર 21 રૂપિયા + GST ફી છે, જે મેટ્રો શહેરો સહિત દેશના અન્ય સ્થળોએ લાગૂ થશે. SBI ATM પર બેલેન્સ ઇન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ માટે કોઈ ચાર્જ નહીં લાગે. જોકે, અન્ય બેંકોના ATM પર 10 રૂપિયા અને GSTનો ચાર્જ લાગૂ પડશે.
આ ઉપરાંત, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 1 મે, 2025થી ATM ટ્રાન્ઝેક્શનનો ચાર્જ વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવાની જાહેરાત કરી છે. ગયા મહિને, RBIએ જાહેરાત કરી હતી કે ATM ઇન્ટરચેન્જ ચાર્જમાં વધારા બાદ મહત્તમ ATM વિડ્રોલ ચાર્જને વધારીને 23 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો છે. RBIની જાહેરાત મુજબ, જો માત્ર માસિક મર્યાદા લિમિટથી વધારે થઇ જાય તો આ ચાર્જ વધશે, જે અગાઉની 21 રૂપિયાની રકમ કરતા વધુ છે.
કેન્દ્ર સરકારના મતે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ATMમાંથી રોકડ ઉપાડથી સારી એવી આવક મેળવે છે, જ્યારે અન્ય જાહેર ક્ષેત્રની બેંકો (PSB) કમાણી કરી શકતી નથી. છેલ્લા 5 વર્ષમાં SBIએ ATM રોકડ ઉપાડથી 2,043 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે, જ્યારે 9 PSBએ આજ સમયગાળામાં સામૂહિક રીતે 3,738.78 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવ્યું છે. આ 9 અન્ય જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા નોંધાયેલા નુકસાનથી વિપરીત છે, જેમાં માત્ર પંજાબ નેશનલ બેન્ક અને કેનેરા બેન્ક જ આ સેવાઓમાંથી નફો કમાવવામાં SBIની બરાબરી કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp