માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને મેળા પ્રશાસને મહાકુંભ વિસ્તારમાં નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક

માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને મેળા પ્રશાસને મહાકુંભ વિસ્તારમાં નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો

02/12/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને મેળા પ્રશાસને મહાકુંભ વિસ્તારમાં નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક

Mahakumbh 5th Amrit Snan: બુધવારે પણ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. માઘ પૂર્ણિમાના દિવસે, પહેલા નાગાઓએ અને પછી અખાડાઓના સાધુ-સંતોએ ત્રિવેણી ઘાટ પર પવિત્ર ડૂબકી લગાવી. ભક્તોને વિવિધ ઘાટ પર સ્નાન કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, માઘી પૂર્ણિમાના અવસર પર, 1 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ધાર્મિક ડૂબકી લગાવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાન પર્વ પર રાજ્યના તમામ ભક્તો અને લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

માઘી પૂર્ણિમાના અમૃત સ્નાનને લઈને મેળા પ્રશાસને મહાકુંભ વિસ્તારમાં એક નવો ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો છે. આ અંતર્ગત સમગ્ર શહેરને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કલ્પવાસીઓના વાહનો માટે પ્રવેશ બંધ છે. મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું નિરીક્ષણ પોતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરી રહ્યા છે.


CM યોગીએ અભિનંદન પાઠવ્યા

CM યોગીએ અભિનંદન પાઠવ્યા

આ દરમિયાન, CM યોગી આદિત્યનાથે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ત્રિવેણીમાં પુણ્ય સ્નાન કરવા આવેલા તમામ પૂજનીય સાધુ-સંતો, ધર્માચોર્યો, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક અભિનંદન. ભગવાન શ્રી હરિની કૃપાથી દરેકનું જીવન સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરેલું રહે. માતા ગંગા, માતા યમુના અને માતા સરસ્વતી બધાની મનોકામના પૂર્ણ કરે, એજ કામના.'


મેળામાં અભૂતપૂર્વ ભીડ આવી છે: વિવેક ચતુર્વેદી

મેળામાં અભૂતપૂર્વ ભીડ આવી છે: વિવેક ચતુર્વેદી

એડિશનલ મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ‘માઘી પૂર્ણિમા’ પર સ્નાન છે. આ વખતે મેળામાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. સ્નાન ચાલી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ સ્નાન ગુરુવારે પણ દિવસભર ચાલુ રહેશે. માઘ પૂર્ણિમાના અવસરે પવિત્ર સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બધું નિયંત્રણમાં છે: DIG

પ્રયાગરાજના DIG વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે માઘ પૂર્ણિમાના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો અહીં સ્નાન માટે પહોંચી રહ્યા છે. તૈયારીઓ ખરેખર સારી છે. બધું નિયંત્રણમાં છે. પાર્કિંગ, ટ્રાફિક ડાયવર્ઝન, બધું જ સક્રિય છે. ભક્તો નિયમો અને કાયદાઓનું પાલન કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top