રસોડામાં વપરાતી આ વસ્તુથી તમને થશે અગણિત ફાયદા : વજન ઉતારવામાં પણ ઉપયોગી
મેથી દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. તેના સેવનથી સ્વાસ્થ્ય માટે જબરદસ્ત ફાયદા થાય છે. નાની મેથીના દાણા આપણને ઘણી મોટી બીમારીઓથી દૂર રાખવામાં મદદ કરે છે. સાંધાના દુખાવા પછી હોય કે વજન ઘટાડવા માટે, મેથીના દાણા હંમેશા તમારો સાથ આપી શકે છે. જે પુરુષોને જાતીય સમસ્યા હોય છે તેમના માટે મેથી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.જાણીતા આયુર્વેદ ચિકિત્સકના મંતવ્ય અનુસાર, ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, મેથીના (Fenugreek) દાણામાં જોવા મળતું સેપોનિન પુરુષોમાં જોવા મળતા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સને ઉત્તેજિત કરે છે. તેનાથી અન્ય પ્રકારની જાતીય સમસ્યાઓ પણ દૂર થાય છે. દરરોજ રાતે સુતા પહેલા એક ચમચી મેથીના દાણાને હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી ખુબ ફાયદાકારક નીવડે છે
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપમેથીના દાણાનું સેવન લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મેથીના દાણામાં હાજર હાઈપોગ્લાયકેમિક અસરને કારણે હોઈ શકે છે. તે લોહીમાં ખાંડની માત્રા ઘટાડવા માટે જાણીતું છે.કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપમેથીના દાણામાં નરિંગેનિન નામનું ફ્લેવોનોઈડ હોય છે, જે લોહીમાં લિપિડનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે, જે વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.સોજો ઓછો કરવામાં મેથી ઉપયોગી છેમેથીના દાણામાં લિનોલીક અને લિનોલીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ એસિડના પેટ્રોલિયમ ઈથર અર્કમાં સોજા (Swelling) વિરોધી પ્રવૃત્તિ હોય છે, જે શરીરને સોજાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છેમેથીમાં ઘણા પ્રકારના પોલિફીનોલ્સ જોવા મળે છે, જે વજન ઘટાડવામાં અસરકારક છે. આ સાથે મેથી શરીરમાં ચરબી જમા થતી અટકાવવાનું પણ સારું કામ કરે છે.સાંધાના દુખાવામાં રાહત આપે છેમેથીમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-ઓક્સિડન્ટ જેવા ગુણો હોય છે. જે સાંધાના દુખાવાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.નોંધઆયુર્વેદ ચિકિત્સકનાના મતે મેથીના દાણા ગરમ હોય છે, તેથી વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે. જો તમને સેક્સ સંબંધિત સમસ્યાઓ છે, તો તમારા આહારમાં ચોક્કસપણે મેથીનો ઉપયોગ કરો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp