Vastu tips for Money : મા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે પારિજાતનું ફૂલ, આ દિશામાં લગાવો છોડ, બની જશો ધનવાન!
લાઈફસ્ટાઈલ ડેસ્ક : વાસ્તુશાસ્ત્રમાં તુલસી, શમી, મની પ્લાન્ટની જેમ પારિજાતના છોડને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ધનની દેવી લક્ષ્મીજીને પારિજાતનાં ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી દેવી લક્ષ્મીની પૂજામાં કમળના ફૂલોની સાથે પારિજાતના ફૂલ પણ ચઢાવવામાં આવે છે. પારિજાતને હરસિંગર પણ કહે છે. ઘરમાં પારિજાત અથવા હરસિંગર છોડની હાજરીથી અનેક વાસ્તુ દોષો દૂર થાય છે અને ઘરમાં ઘણી સંપત્તિ અને વૈભવ આવે છે. પારિજાત છોડનો મહત્તમ લાભ મેળવવા માટે તેને વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ દિશામાં લગાવવું જોઈએ.
પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથનમાંથી પારિજાત વૃક્ષનો ઉદ્ભવ થયો હતો. સમુદ્ર મંથનમાંથી મા લક્ષ્મી પણ પ્રગટ થયા. ઈન્દ્રએ સ્વર્ગ વાટિકામાં પારિજાતનું ચમત્કારિક વૃક્ષ વાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ દીર્ઘાયુ અને આયુષ્ય આપે છે. તેનાથી અઢળક ધન અને સંપત્તિ પણ મળે છે. પારિજાતનો છોડ ઘરમાં લગાવવાથી માનસિક તણાવ દૂર રહે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.
ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં હરસિંગર અથવા પારિજાતનો છોડ લગાવવો શ્રેષ્ઠ છે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. તેની સાથે જ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે.
આ છોડને ઘરની પશ્ચિમ દિશામાં પણ લગાવી શકાય છે.
ઘરના આંગણામાં પારિજાતનો છોડ લગાવવાથી અઢળક ધનની પ્રાપ્તિ થાય છે અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે.
ઘરના મંદિર પાસે પારિજાત અથવા હરસિંગરનો છોડ લગાવવાથી પણ ખૂબ જ શુભ ફળ મળે છે.
ધ્યાન રાખો કે કોઈ પણ સંજોગોમાં ઘરની દક્ષિણ દિશામાં હરસિંગર અથવા પારિજાતનો છોડ ન લગાવવો જોઈએ કારણ કે તે યમની દિશા છે. આમ કરવાથી લાભને બદલે નુકસાન થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp