કોણ છે અનુબ્રત મોંડલ? મમતા બેનર્જી પણ તેની વિરુદ્ધ બોલી ન શક્યા, કહેવાય 'બીરભૂમનો વાઘ'

કોણ છે અનુબ્રત મોંડલ? મમતા બેનર્જી પણ તેની વિરુદ્ધ બોલી ન શક્યા, કહેવાય 'બીરભૂમનો વાઘ'

09/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કોણ છે અનુબ્રત મોંડલ? મમતા બેનર્જી પણ તેની વિરુદ્ધ બોલી ન શક્યા, કહેવાય 'બીરભૂમનો વાઘ'

CBI2 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળના બહુબલી નેતા અનુબ્રત મોંડલની ધરપકડ કરી હતી. ગૌતસ્કરીના આરોપમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારે જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. એરપોર્ટની બહાર કાર્યકરોની લાંબી લાઈનો લાગી હતી. આખરે કોણ છે અનુબ્રત મોંડલ? શા માટે આટલી બધી ચર્ચા છે? 'ટાઈગર ઓફ બીરભૂમ' તરીકે ઓળખાતા આ વ્યક્તિનો પ્રભાવ એવો છે કે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ તેની વિરુદ્ધ બોલી શક્યા નહોતા.

અનુબ્રત મોંડલ TMCના મોટા નેતા છે. પાર્ટીમાં તેનો દબદબો છે. પરંતુ તેને ઓળખનારા લોકો કહે છે કે અનુબ્રત મોંડલ એક સમયે માછલી વેચતો હતો. તેના પિતાની કરિયાણાની દુકાન હતી. તે લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો, એ સમયમાં કે મમતા બેનર્જીના સંપર્કમાં આવ્યો અને મમતા બેનર્જીના ખૂબ જ ખાસ લોકોમાં તમની ગણતરી થવા લાગી. 1998માં જ્યારે મમતાએ કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસની રચના કરી, ત્યારે અનુબ્રતા મોંડલ પણ તેમાં જોડાયો હતો. ત્યારથી અનુબ્રત મોંડલ જ નક્કી કરે છે કે બીરભૂમમાં કોણ ઉમેદવાર હશે. પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી, દરેક જગ્યાએ તેનો સિક્કો ચાલે છે. તેથી જ તેને 'બીરભૂમનો વાઘ' કહેવામાં આવે છે.


વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત

વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત

વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે પ્રખ્યાત અનુબ્રત મોંડલે એકવાર એવું કહીને સનસનાટી મચાવી દીધી હતી કે જો TMCને છંછેડવામાં આવશે તો તે વિરોધ પક્ષોના હાથ કાપી નાખશે. અહીં સુધી કે તેણે પોલીસ વાનને બોમ્બથી ઉડાવી દેવા જેવા નિવેદનો પણ આપ્યા હતા. તેને TMCના ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે. તેણે જ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા 'ખેલા હોબે' સૂત્રને લોકપ્રિય બનાવ્યું હતું. ત્યારબાદ દરેક રેલીમાં મમતા બેનર્જીની આ ટેગલાઈન બની ગઈ. મમતા બેનર્જી તેને એટલી પસંદ છે કે જ્યારથી તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેમણે તેમની વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યો નથી. જ્યારે પણ મમતા બેનર્જીને અનુબ્રતા મોંડલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે CBI પર જ સવાલ ઉઠાવ્યા. મમતાના મંત્રી ફિરહાદ હકીમે અનુબ્રત મોંડલની સરખામણી 'વાઘ' સાથે કરી છે.


દીદી પર વિશ્વાસ

દીદી પર વિશ્વાસ

જેલમાંથી છૂટ્યા બાદ અનુબ્રત મોંડલ કોલકાતા એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેમના સમર્થકોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ પ્રસંગે જ્યારે તેમને મમતા બેનર્જી વિશે પૂછવામાં આવ્યું તો અનુબ્રતા મોંડલે કહ્યું, 'હું દીદીની સાથે હતો અને હંમેશાં તેમની સાથે રહીશ. હું તેમને દુર્ગા પૂજાની શુભેચ્છા પાઠવું છું.' તેણે કહ્યું, 'દીદી આજે આવી રહ્યા છે.' જો મારું શરીર સારું રહેશે તો હું દીદીને ચોક્કસ મળીશ. હું હંમેશાં દીદી માટે હાજર છું. આગામી વિધાનસભા ચૂંટણી માટે અનુબ્રત મોંડલની વાપસી TMC માટે સંજીવનીથી ઓછી નથી. એમ કહેવાય છે કે જ્યારે તે મેદાનમાં હોય છે, ત્યારે તે TMC માટે જીતનો માર્ગ ખોલી દે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top