રાજીનામું આપવા પહોંચેલા આતિશી પર LG VK સક્સેનાનો કટાક્ષ, બોલ્યા- 'તમને યમુના મૈયા..'

રાજીનામું આપવા પહોંચેલા આતિશી પર LG VK સક્સેનાનો કટાક્ષ, બોલ્યા- 'તમને યમુના મૈયા..'

02/10/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજીનામું આપવા પહોંચેલા આતિશી પર LG VK સક્સેનાનો કટાક્ષ, બોલ્યા- 'તમને યમુના મૈયા..'

LG V K Saxena: રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રાજભવન ખાતે ઉપરાજ્યપાલને રાજીનામું સુપરત કરવા ગયા ત્યારે, ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ યમુનાના પ્રદૂષણ અંગે તેમના પર કટાક્ષ કર્યો હતો. ઉપરાજ્યપાલે પૂર્વ મુખ્યમંત્રીને કહ્યું કે તમને યમુના મૈયાનો શ્રાપ આપ્યો છે. સરકારે યમુનાને સાફ કરવા માટે સક્રિય પગલાં લેવા જોઈતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાજ્યપાલ સક્સેનાએ આતિશીને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા નદીની સફાઈનો પ્રોજેક્ટ અટકાવ્યા બાદ તેમણે AAPના કન્વિનર અરવિંદ કેજરીવાલને પણ 'યમુનાના શ્રાપ' વિશે ચેતવણી પણ આપી હતી. જોકે, આતિશીએ LG સામે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.


યમુનાની સફાઈનો વિવાદ 2 વર્ષ જૂનો છે

યમુનાની સફાઈનો વિવાદ 2 વર્ષ જૂનો છે

TOI અનુસાર, આ વિવાદ બે વર્ષ જૂનો છે. જાન્યુઆરી 2023માં, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ યમુનાના પ્રદૂષણને ઘટાડવા માટે ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી. સમિતિએ પોતાનું કામ શરૂ કરતાની સાથે જ કેજરીવાલે પોતાનો ટેકો વ્યક્ત કર્યો અને મદદની ઓફર કરી હતી. જોકે, દિલ્હી સરકારે પાછળથી NGTના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં વરિષ્ઠ વકીલ એ.એમ. સિંઘવીએ દલીલ કરી કે ડોમેન નિષ્ણાતે પેનલનું નેતૃત્વ કરવું જોઈએ. આ પ્રતિબંધ 2 વર્ષથી વધુ સમયથી અમલમાં છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ કેજરીવાલ સાથેની મુલાકાતમાં, વી.કે. સક્સેનાએ AAP કન્વિનરને કહ્યું હતું કે તેમને યમુનાના શ્રાપનો સામનો કરવો પડશે.

આતિશી દિલ્હીના મુખ્યમંત્રી ક્યારે બન્યા?

જ્યારે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી એ શરતે જામીન મળ્યા કે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય નહીં જઈ શકે કે કોઈ સરકારી ફાઇલ પર સહી નહીં કરી શકે, ત્યારે તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. કેજરીવાલના રાજીનામા બાદ, આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે 21 સપ્ટેમ્બર 2024ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન, આમ આદમી પાર્ટી અને આતિશી પોતે પોતાને 'અસ્થાયી મુખ્યમંત્રી' ગણાવતા રહ્યા.


યમુના પર વડાપ્રધાને AAP પર પ્રહાર કર્યા

યમુના પર વડાપ્રધાને AAP પર પ્રહાર કર્યા

શનિવારે ચૂંટણી પરિણામો આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી પર લોકોના વિશ્વાસનું સન્માન ન કરવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. યમુનાને સ્વચ્છ અને સુંદર બનાવવાની પ્રતિજ્ઞા લેતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકોએ દિલ્હીના લોકોની શ્રદ્ધાને પગ નીચે કચડી નાખી અને પછી ખુલ્લેઆમ હરિયાણા પર આરોપ લગાવ્યો. તેમણે વારંવાર 'યમુના મૈયા કી જય' કહીને પોતાનું ભાષણ સમાપ્ત કર્યું.

દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ સરકાર સત્તામાં આવી

8 ફેબ્રુઆરીએ જાહેર થયેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં AAPને માત્ર 22 બેઠકો મળી છે, જ્યારે ભાજપ 48 બેઠકો જીતીને 27 વર્ષ બાદ સત્તામાં આવી છે. આ સિવાય કોંગ્રેસ સતત ત્રીજી વખત એક પણ બેઠક જીતી શકી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top