શું ગંભીરની નોકરી જોખમમાં છે? BCCI સચિવ દેવજીત સૈકિયાએ તોડ્યું મૌન

શું ગંભીરની નોકરી જોખમમાં છે? BCCI સચિવ દેવજીત સૈકિયાએ તોડ્યું મૌન

12/29/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

શું ગંભીરની નોકરી જોખમમાં છે? BCCI સચિવ દેવજીત સૈકિયાએ તોડ્યું મૌન

શું ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીરની નોકરી જોખમમાં છે? શું BCCI ખરેખર રેડ-બોલ ક્રિકેટમાં તેમના પ્રદર્શનથી નાખુશ છે? તેમાં કોઈ શંકા નથી કે ગંભીરના નેતૃત્વમાં ભારતીય ટીમનું રેડ-બોલ ક્રિકેટમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમે ખાસ કરીને 3 દેશો (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) સામે સંઘર્ષ કર્યો છે. તેમના નેતૃત્વમાં ટીમે 3 દેશો સામે 10 મેચ હારી છે. દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની શ્રેણીમાં ટીમે બે મેચની શ્રેણીમાં ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.

આ અગાઉ, ગયા વર્ષે ભારતીય ટીમે ન્યૂઝીલેંડ  સામે ઘરઆંગણે 0-3 થી શ્રેણી ગુમાવી હતી. આ જ કારણ છે કે ગંભીરની કોચિંગ શૈલી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 27 ડિસેમ્બરે, એક સમાચાર એજન્સીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને ટેસ્ટ કોચ તરીકેના પદ પરથી દૂર કરી શકાય છે. સાથે જ, તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે. એવા અહેવાલો હતા કે બોર્ડ 2026ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર વિચાર કરશે અને પછી નક્કી કરશે કે ગંભીર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે કે નહીં. ગંભીરનો કરાર 2027ના ODI વર્લ્ડ કપ સુધી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે.


BCCI સચિવ સૈકિયાએ શું કહ્યું?

BCCI સચિવ સૈકિયાએ શું કહ્યું?

દેવજીત સૈકિયાના મતે, BCCI ગંભીરથી નાખુશ હોવાના અહેવાલો ફક્ત અફવા છે. લાલ બોલ ક્રિકેટમાં ગંભીરને કોચ પદેથી દૂર કરવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, દેવજીત સૈકિયાએ આ અહેવાલોને ફગાવી દેતા કહ્યું કે, ‘ગૌતમ ગંભીરના ટેસ્ટ કોચિંગ પદ અંગે કોઈ ચર્ચા થઈ નથી, કે અન્ય કોઈ કોચનો સંપર્ક કરવામાં આવ્યો નથી. આવી બધી અટકળો માત્ર અફવા છે.’

BCCI સચિવે એ પણ સ્પષ્ટતા કરી કે ગંભીર તેમના વર્તમાન કરાર હેઠળ ટીમ ઈન્ડિયા સાથે કામ કરવાનું ચાલુ રાખશે. બોર્ડ હાલમાં કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવાની કોઈ યોજના ધરાવતું નથી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા અને ગંભીરના રિપ્લેસમેન્ટ અંગે જે ચર્ચા ચાલી રહી છે તેનો કોઈ આધાર નથી.


રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો હતો?

એક સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં કારમી હાર બાદ, BCCIના એક અધિકારીએ અનૌપચારિક રીતે વીવીએસ લક્ષ્મણનો સંપર્ક કર્યો હતો, જેથી એ જાણી શકાય કે ટેસ્ટ ટીમના કોચિંગમાં રુચિ ધરાવે છે કે નહીં. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લક્ષ્મણ તેમની વર્તમાન ભૂમિકાથી ખૂબ ખુશ છે. લક્ષ્મણ બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ક્રિકેટના વડા તરીકે સેવા આપે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે BCCI પાસે વિકલ્પોના અભાવનો ફાયદો ગંભીરને થઈ રહ્યો છે.

જોકે, BCCI સચિવના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બોર્ડ ગંભીર પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં કોચિંગ સેટઅપમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. આ વિભાજીત કોચિંગની ધારણાને પણ ખોટી સાબિત કરે છે. મતલબ કે ગંભીર હાલમાં ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને કોચિંગ આપવાનું ચાલુ રાખશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top