Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતને લઈને મોટો ખુલાસો- ‘3 મહિના અગાઉ જ એર ઇન્ડિ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતને લઈને મોટો ખુલાસો- ‘3 મહિના અગાઉ જ એર ઇન્ડિયાના આ પ્લેનનું..’

06/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ અકસ્માતને લઈને મોટો ખુલાસો- ‘3 મહિના અગાઉ જ એર ઇન્ડિ

Air India Plane Crash: અમદાવાદમાં અકસ્માતનો શિકાર થયેલા એર ઇન્ડિયાના વિમાનને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. લગભગ 12 વર્ષ જૂના આ વિમાનની રાઇડ સાઇડ એન્જિનમાં હાલમાં જ સમારકામ કરવામાં આવ્યું હતું અને તેને 3 મહિના અગાઉ માર્ચ 2025માં બદલવામાં આવ્યું હતું. અમદાવાદથી લંડન જતું આ વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો બાદ જ ક્રેશ થઈ ગયું હતું અને તેમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં એક મુસાફર સિવાય તમામ 241 લોકોના મોત થયા હતા.


આગામી તપાસ ડિસેમ્બરમાં થવાની હતી

આગામી તપાસ ડિસેમ્બરમાં થવાની હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ એર ઇન્ડિયાના વિમાનની ડીટેલ મેંટેનેન્સ તપાસ જૂન 2023માં કરવામાં આવી હતી અને તેની તપાસનો આગામી રાઉન્ડ આ વર્ષે ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં, એર ઇન્ડિયાએ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે વીમા કવર 750 કરોડ રૂપિયાથી વધારીને 850 કરોડ રૂપિયા કરી દીધું હતું. અમદાવાદમાં થયેલી દુર્ઘટના દેશમાં એક દાયકાથી વધુ સમયમાં સૌથી ખરાબ હવાઈ અકસ્માતોમાંથી એક છે. આ દુર્ઘટનાથી એવિએશન ઇન્શ્યોરન્સ સેક્ટરમાં ખળભળાટ મચી જવાની ધારણા છે અને કુલ ક્લેમ દેશમાં સૌથી મોંઘો થવાનો અંદાજ છે, જે લગભગ 3,000 કરોડ રૂપિયા છે.

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાણ ભર્યાની થોડી મિનિટો બાદ, વિમાન નંબર AI 171 મેઘાણી નગરમાં એક મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું, જેમાં 241 મુસાફરો સહિત લગભગ 270 લોકો માર્યા ગયા. આ અકસ્માતમાં એકમાત્ર ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર બચી ગયા.


સરકારે તપાસ સમિતિ બનાવી

સરકારે તપાસ સમિતિ બનાવી

એર ઇન્ડિયાનું વિમાન જમીન પર પડતા જ જોરદાર વિસ્ફોટ થયો અને ભયંકર આગ લાગી. અકસ્માત બાદ, વિમાનના કાટમાળમાંથી કાઢવામાં આવેલા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, જેના કારણે DNA મેચિંગ બાદ તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અમદાવાદ અકસ્માત બાદ, DGCAએ એર ઇન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર વિમાન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને આવા વિમાનોની સઘન તપાસ માટે આદેશો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતની તપાસ માટે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જે 3 મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે.


એર ઇન્ડિયાની સેવા ખોરવાઈ

એર ઇન્ડિયાની સેવા ખોરવાઈ

એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયા DGCAની માર્ગદર્શિકા પર સુરક્ષા તપાસ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં છે. આ તપાસ બોઇંગ 787 કાફલા પર કરવામાં આવી રહી છે કારણ કે તેઓ ભારત પરત ફરી રહ્યા છે, ત્યારબાદ તેમને આગામી ઓપરેશન માટે મંજૂરી આપવામાં આવશે. એર ઇન્ડિયાએ બોઇંગ 787 વિમાનોમાંથી 9 પર આવી તપાસ પૂર્ણ કરી છે અને બાકીના 24 વિમાનો માટે આ પ્રક્રિયા DGCA દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

એવામાંમાં, એર ઇન્ડિયાએ ચેતવણી આપી હતી કે તપાસને કારણે, ફ્લાઇટ ઓપરેશનમાં લાગનારો સમય વધી શકે છે અને વિલંબ થઈ શકે છે. ખાસ કરીને નાઈટ કર્ફ્યૂવાળા એરપોર્ટ પર લાંબા અંતરના રૂટ્સ પર તેની શક્યતા વધારે છે. એર ઇન્ડિયાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારો માટે 25 લાખ રૂપિયાના વચગાળાના વળતરની જાહેરાત કરી છે. આ વળતર ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના વળતરથી અલગ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top