હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. જો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ માતા લક્ષ્મી રિસાઈ જાય છે તો હજારો પરેશાનીઓ રહે છે. ખાસ કરીને જીવનમાં લક્ષ્મી જતી રહે છે, અશાંતિ અને ગરીબી તમારો પીછો છોડતી નથી.
ઘણી વખત અજાણ્યામાં આપણે માતા લક્ષ્મીને નારાજ કરી દઈએ છે. જ્યોતિષ અનુસાર આપણા ઘણા કાર્યોથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને આપણા ઘરમાં પ્રવેશ કરતી નથી. જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીની નારાજગીના ઘણા કારણોનો ઉલ્લેખ છે. તો ચાલો જાણી લઇએ કે કયા કારણોથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે.
1-જે લોકો સૂર્યોદય પછી જાગે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા નથી હોતી. તેથી હંમેશા સવારે વહેલા ઉઠો.
2- જે લોકો બપોરે ઊંઘે છે તેમનાથી માતા લક્ષ્મી નારાજ રહે છે. એમની દુનિયામાં ક્યારેય પગ મૂકતા નથી.
3- દેવી લક્ષ્મી ક્યારેય એવા ઘરમાં પ્રવેશતા નથી જ્યાં ગંદો કચરો હોય. તેથી, જો તમે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં લાવવા માંગો છો, તો ઘરને સાફ રાખો.
4-જે લોકો ભોજનનો વ્યય કરે છે તેમના પર દેવી ક્રોધિત થાય છે. યાદ રાખો કે ખોરાકનો બગાડ એ લક્ષ્મી અને અન્નપૂર્ણાનું અપમાન છે. ગરીબી અને ભુખમરી તમને ઘેરી લે છે.
5- ક્યારેય કોઈને મીઠું ન આપો. સાંજ પછી કોઈને ખાટો ખોરાક ન આપો. નહિ તો માતા લક્ષ્મી નારાજ થઈને તે પરિવાર છોડી દે છે.
6- સાંજ પછી ક્યારેય પણ ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. લક્ષ્મી ગુસ્સે થઈ ગઈ. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાંજ પછી ઘર સાફ કરે છે, તેનું સૌભાગ્ય માતા લક્ષ્મી સાથે લઈ જાય છે.
7- સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ભૂલથી પણ બેસવું નહિ. ખાસ કરીને દરવાજાની સામે. આનાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય પ્રવેશ કરશે નહીં.